નવી દિલ્લીઃ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મંગળવારે સાંજે 6 વાગ્યે દેશને સંબોધનવ કરવાના છે. મોદીએ પોતે આ અંગે ટ્વિટ કરીને માહિતી આપી છે. મોદીએ ટ્વિટમાં લખ્યું છે કે, આજે છ વાગ્યે રાષ્ટ્રના નામે સંદેશો આપીશું. આપ બધાં ચોક્કસ જોડાઓ.


મોદી તેમના સંબોધનમાં શું જાહેરાત કરશે તે અંગે અટકળો ચાલી રહી છે. આ દરમિયાન સોશિયલ મીડિયા ટ્વિટર પર મીમ્સનું ઘોડાપૂર આવ્યું છે. લોકો અવનવા મીમ્સ બનાવીને શેર કરી રહ્યા છે.



પ્રધાનમંત્રી મોદી તહેવારો દરમિયાન લોકોને કોરોનાનો ફેલોવા ના થાય તે માટે સાવચેતી રાખવાની સલાહ, ભારત-ચીન સરહદી વિવાદ અંગે પણ મોદી બોલી શકે છે.