PM Modi in Kedarnath Live: કેદારનાથ દુર્ઘટનાને યાદ કરીને ભાવુક થયા PM મોદી, કહ્યું- હું અહીં આવું છું અને કણ-કણ સાથે જોડાઈ જાવ છું
બુધવારે મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ વડાપ્રધાનના આગમનને લગતી વ્યવસ્થાઓની સમીક્ષા કરવા કેદારનાથની મુલાકાત લીધી હતી.
gujarati.abplive.comLast Updated: 05 Nov 2021 10:47 AM

બ્રેકગ્રાઉન્ડ
PM Modi Kedarnath Visit: વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભારે સુરક્ષા વ્યવસ્થા વચ્ચે આજે કેદારનાથ ધામની મુલાકાતે છે જ્યાં તેઓ આદિ ગુરુ શંકરાચાર્યની પ્રતિમાનું અનાવરણ કરશે. કેદારનાથમાં શંકરાચાર્યની 12 ફૂટ ઊંચી...More
PM Modi Kedarnath Visit: વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભારે સુરક્ષા વ્યવસ્થા વચ્ચે આજે કેદારનાથ ધામની મુલાકાતે છે જ્યાં તેઓ આદિ ગુરુ શંકરાચાર્યની પ્રતિમાનું અનાવરણ કરશે. કેદારનાથમાં શંકરાચાર્યની 12 ફૂટ ઊંચી અને 35 ટન વજનની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. આ સિવાય વડાપ્રધાન 2013ની કુદરતી આફતમાં ક્ષતિગ્રસ્ત થયેલા શંકરાચાર્યની સમાધિ સ્થળનું પણ ઉદ્ઘાટન કરશે. બાબા કેદારની મુલાકાતની સાથે મોદી કેદારનાથમાં 400 કરોડ રૂપિયાથી વધુના કામોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કરશે.બુધવારે મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ વડાપ્રધાનના આગમનને લગતી વ્યવસ્થાઓની સમીક્ષા કરવા કેદારનાથની મુલાકાત લીધી હતી. આ દરમિયાન, તેમણે દેવસ્થાનમ બોર્ડના વિસર્જનની માંગ કરતા તીર્થના પૂજારીઓ અને પાંડા સમાજના પ્રતિનિધિઓ સાથે પણ વાતચીત કરી. ધામીએ કહ્યું કે દરેક વ્યક્તિ વડાપ્રધાનના સ્વાગત માટે તૈયાર છે.
પીએમ મોદીએ કેદારનાથના પુનઃનિર્માણ માટે ઉત્તરાખંડ સરકારનો આભાર માન્યો
કેદારનાથમાં પીએમ મોદીએ કહ્યું, આ આદિમ ભૂમિ પર શાશ્વતતા સાથે આધુનિકતાનો આ સમન્વય, વિકાસના આ કાર્યો ભગવાન શંકરની જન્મજાત કૃપાનું પરિણામ છે. હું ઉત્તરાખંડ સરકાર, મુખ્યમંત્રી ધામી જી અને આ ઉમદા પ્રયાસો માટે આ કાર્યોની જવાબદારી સ્વીકારનાર તમામનો પણ આભાર માનું છું.