Polio in Kolkata: કોલકાતાના છ વિસ્તારોમાં ગટરના પાણીમાં પોલિયો વાયરસ મળી આવ્યો છે. આ પછી સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. વર્લ્ડ ર્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ) અને કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશન (કેએમસી) ના પૂર્વ પ્રાદેશિક કાર્યાલયના અધિકારીઓ અયોગ્ય ગટર સીવરેજ સવલતોના છ પોકેટ્સ અને અમુક પરિમાણોના આધારે ખુલ્લામાં શૌચ કરવાના ઊંચા દરોનું નિરીક્ષણ કરી રહ્યા છે.


 વાયરસ ક્યાં મળી આવ્યો?


મેટિયાબ્રુઝ ઉપરાંત, વાયરસ અન્ય પાંચ વિસ્તારોમાં શ્યામલાલ લેન, વર્લ્ડ વિઝન સ્કૂલ વિસ્તાર, ધાપા લોકગેટ, મહેશતલા અને નારકેલડાંગા જોવા મળ્યો હતો. આ ઉપરાંત, KMC અધિકારીઓએ વિસ્તારોમાં કોઈ પોલિયો પીડિત છે કે કેમ તે શોધવા માટે વધારાના પગલાં લેવાનું નક્કી કર્યું છે.


KMC હેઠળના તમામ 144 વોર્ડના કાઉન્સિલરોને પોલિયો પીડિતોની ઓળખ કરવા માટે તેમના પોતાના ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ કરવાની સૂચના આપવામાં આવી છે. આવી જ સૂચના KMC વિસ્તારના પોલીસ સ્ટેશનોના ઈન્ચાર્જ અધિકારીઓને પણ મોકલવામાં આવી છે.


19મી જૂનથી ખાસ પોલિયો રસીકરણ અભિયાન ચલાવવામાં આવશે


રાજ્યના આરોગ્ય વિભાગે કેટલાક જિલ્લાઓને પણ ઓળખી કાઢ્યા છે, જ્યાં 19 જૂનથી ખાસ પોલિયો રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવશે. આમાંના કેટલાક જિલ્લાઓ હાવડા, હુગલી, દક્ષિણ 24 પરગણા, ઉત્તર 24 પરગણા, ઉત્તર દિનાજપુર, માલદા અને મુર્શિદાબાદ છે. તમામ સરકારી મેડિકલ કોલેજો અને હોસ્પિટલોને ત્યાં દાખલ કરાયેલા તમામ રોગપ્રતિકારક શક્તિની ખામીવાળા બાળકોના સ્ટૂલ ટેસ્ટ કરાવવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. પ્રાથમિક અવલોકનો ગટરના પાણીમાં પોલિયો વાયરસના અસ્તિત્વ પાછળ બે શક્યતાઓ દર્શાવે છે.


ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ


ભારતમાં કોરોના કેસમાં ગઈકાલ કરતાં આજે વધારો થયો છે. સતત બીજા દિવસે 12 હજારથી વધારે કેસ નોંધાયા છે. છેલ્લા 24  કલાકમાં 12,847 નવા કેસ અને 14 સંક્રમિતોના મોત થયા છે. એક્ટિવ કેસનો આંકડો 63 હજારને પાર થયો છે. દૈનિક પોઝિટિવિટી રેટ 2.47 ટકા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 63,063 થઈ છે. જ્યારે કુલ મૃત્યુઆંક 5,24,817 પર પહોંચ્યો છે. દેશમાં 4,26,82,697 લોકો કોરોના સામેજંગ જીત્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 195,84,03,471 રસીના ડોઝ આપવામાં આવ્યા છે.જેમાંથી ગઈકાલે 15,27,365 ડોઝ આપવામાં આવ્યા હતા.