ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પોલીસે સરકારી કર્મચારીની ધરપકડ કરી તેને જેલમાં ધકેલી દીધો હતો. કોલ ગર્લએ તેની સામે કેસ દાખલ કર્યો છે. કોલ ગર્લ પહેલા આઝમગઢથી પ્રયાગરાજ આવી હતી, જ્યાં તેણે બીજા યુવક સાથે લગ્ન કર્યા અને પછી સરકારી કર્મચારી સાથે પ્રેમ થઈ ગયો. આ દરમિયાન બંને વચ્ચે ઘણી બાબતોને લઈને વિવાદ શરૂ થયો અને મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો.


વાસ્તવમાં સેક્સ રેકેટના ધંધામાં સંડોવાયેલી એક યુવતી આઝમગઢ પોલીસના હાથે ઝડપાઈ ગઈ છે. થોડા દિવસ પહેલા તે છોકરી પ્રયાગરાજ આવી હતી. અહીં પણ તેણે ખોટું કામ છોડ્યું નહીં. સમાજમાં રહેવા માટે યુવતીએ એક વ્યક્તિ સાથે લગ્ન પણ કરી લીધા. દરમિયાન એક સરકારી કર્મચારી તે યુવતીને મળ્યો હતો.


તેમની સાથે સરકારી કર્મચારીની નિકટતા વધવા લાગી. આ પછી યુવતીએ તેના પતિથી અંતર બનાવવાનું શરૂ કર્યું. સરકારી કર્મચારી યુવતીના પ્રેમમાં ફસાઈ ગયો. સરકારી કર્મચારી અને યુવતીની તસવીરો સોશિયલ મીડિયામાં આવી હતી.


દરમિયાન ગત વર્ષે સરકારી કર્મચારીની પત્નીનું ગંભીર બિમારીના કારણે અવસાન થયું હતું. અંતિમ સંસ્કાર સમયે યુવતી (કોલ ગર્લ) ત્યાં પહોંચી અને પોતાને તેની પત્ની કહેવા લાગી. આ સાંભળીને ત્યાં હાજર લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. ત્યાં આ બાબતને લઈને વિવાદ વધ્યો હતો. જ્યારે યુવતીએ તેના મોબાઈલથી વીડિયો બનાવવા માંગ્યો તો લોકોએ તેનો મોબાઈલ છીનવી લીધો. આનાથી ગુસ્સે થઈને યુવતી પોલીસ પાસે ગઈ અને લૂંટની એફઆઈઆર નોંધાવી હતી.


વિવાદ વધતાં યુવકે યુવતી સાથેના સંબંધો તોડી નાખ્યા હતા. યુવતીએ યુવકની પત્ની હોવાનો દાવો કર્યો હતો. આ બાબતે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, ત્યારબાદ યુવતીએ લૂંટ સાથે ખૂની હુમલો કર્યાની ફરિયાદ નોંધાવી હતી. જોકે, પોલીસને બંનેની સત્યતાની જાણ હતી. આ દરમિયાન યુવતીએ અન્ય અધિકારીઓ સાથે મુખ્યમંત્રીને પત્ર લખીને ધમકી આપી હતી કે જો તેને ન્યાય નહીં મળે તો તે ખતરનાક પગલું ભરશે. આ કેસમાં પોલીસે કેસ નોંધ્યા બાદ યુવકની ધરપકડ કરીને તેને જેલમાં ધકેલી દીધો હતો.


Valsad: પૈસાના વરસાદની લાલચમાં બાળકની ચઢાવી હતી બલિ, ત્રણ આરોપીઓની ધરપકડ


વલસાડ જિલ્લાના કરવડ ગામમાં કેનાલમાંથી બાળકનું ધડ મળી આવ્યું હતું. પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો હતો.  9 વર્ષીય આ બાળકની બલિ ચઢાવવામાં આવી હતી. પોલીસે સગીર સહિત 3 આરોપીઓની ધરપકડ કરી હતી. વાસ્તવમાં  સેલવાસના સાયલી ગામનો 9 વર્ષીય ચૈતા નામનો બાળક ઘરની પાસે રમી રહ્યો હતો. અચાનક તે ગુમ થઈ જતાં તેના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.


આ તરફ કેનાલમાંથી એક બાળકનું ધડ મળી આવ્યું હતું. પોલીસે તપાસ કરતાં ખુલ્યું હતું કે, મૃતદેહ ચૈતાનો જ છે.  એટલું જ નહીં, મુખ્ય આરોપી સગીર છે. તે ચિકનની દુકાન પર ખાટકીનું કામ કરતો. પૈસાનો વરસાદ થશે અને અસીમ શક્તિ મળશે તેવી મેલી મુરાદથી ચૈતાનું અપહરણ કર્યું હતું. બાદમાં તેની બલિ ચઢાવવામાં આવી હતી. બાદમાં ધડનો ભાગ કેનાલમાં ફેંક્યો હતો. જ્યારે મૃતદેહનો બાકીનો ભાગ સાયલીના સ્મશાન નજીકથી મળી આવ્યો હતો