પ્રયાગરાજમાં સંગમ કિનારા પર આજે માધ મેળાનું ત્રીજુ સ્નાન પર્વ છે. મૌની અમાવસ્યાના અવસર પર અડધી રાત બાદથી શ્રદ્ધાળુઓની મોટી ભીડ જોવા મળી હતી. કોરોના ગાઇડલાઇન વચ્ચે શ્રદ્ધાળુઓએ આસ્થાની ડુબકી લગાવી હતી.
કોંગ્રેસ મહાસવિચ પ્રિયંકા ગાંધી વાડ્રા આજે મૌની અમાવસ્યા સ્નાન પર્વ પર પ્રયાગરાજ પહોંચ્યા છે. સૌથી પહેલા તેઓ નહેરૂ-ગાંધી પરિવારના પૈતૃક આવાસ આનંદ ભવન પહોંચ્યા હતા. જ્યાં પોતાના પરદાદા અને પૂર્વ પ્રધાનમંત્રી જવાહર લાલ નહેરૂના સ્મૃતિ સ્થળ પર શ્રદ્ધાસુમન અર્પિત કર્યા હતા. પ્રિયંકા ગાંધીઆ આનંદ ભવન સ્થિત અનાથાલયમાં બાળકોની સાથે થોડા સમય પસાર કર્યો હતો. અહીં એક બાળકીને તેમણે તેડી લીધી હતી.