સૂત્રો દ્વારા મળતી જાણકારી મુજબ, ભારતીય જવાનોએ પુલવામા હુમલાના માસ્ટરમાઈન્ડ આતંકી ગાજી રશીદને ઘેરી લીધો છે. અહીં બેથી ત્રણ આતંકીઓ છુપાયા હોવાના અહેવાલ છે. આ આતંકીઓનો સંબંધ આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે હોઈ શકે છે. પરંતુ આ અંગે કોઈ પૃષ્ટિ કરવામાં આવી નથી.
મળતી માહિતી મુજબ, સીઆરપીએફ કાફલા પર હુમલામાં સામેલ જૈશ-એ-મોહમ્મદના ત્રણ ટોપ કમાન્ડરોને સેનાએ ઘેરી લીધા છે. સુરક્ષાદળોએ આસપાસના વિસ્તારની ઘેરાબંધી કરીને સર્ચ ઓપરેશન તેજ કરી દીધું છે.