Punjab Corona Cases: દેશમાં કોરોનાનો ફરી કહેર મચાવવાનો શરૂ કર્યો છે. સેલેબ્સ, રાજનેતાઓથી માંડી સામાન્ય લોકો તેની ઝપેટમાં આવી રહ્યા છે. પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે પરંતુ તેના પત્ની અને પુત્રનો રિપોર્ટ પોઝિટિવ આયો છે.


આજે પંજાબ વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થવાની છે તેવા જ સમયે પંજાબમાં કોરોના પણ સ્પીડ પકડી રહ્યો છે. ગઈકાલે 2900 કેસ નોંધાયા હતા. સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઇટ પ્રમાણે, હાલ પંજાબમાં એક્ટિવ કેસની સંખ્યા 9425 છે, જ્યારે 5,87,888 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. પંજાબમાં કોરોનાથી અત્યાર સુધીમાં 16,663 લોકોના મોત થયા છે.


ભારતમાં કોરોનાની શું છે સ્થિતિ


કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 1,41,986  નવા કેસ નોંધાયા છે અને 285 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 40,895 સંક્રમિતો સાજા થયા છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 3,44,12,740 પર પહોંચી છે. દેશમાં ગઈકાલની તુલનાએ આજે 21 ટકા વધારે કેસ નોંધાયા છે. ગઈકાલે 1.30 લાખ કેસ નોંધાયા હતા. રિકવરી રેટ 98 ટકાથી વધારે છે.



  • એક્ટિવ કેસઃ 472169

  • કુલ ડિસ્ચાર્જઃ 3,44,12,740

  • કુલ મૃત્યુઆંકઃ4,83,463

  • કુલ રસીકરણઃ 150,61,92,903


ભારતમાં કયા રાજ્યમાં કેટલા છે ઓમિક્રોન કેસ


.દેશમાં ઓમિક્રોનના કુલ કેસ 3071 પર પહોંચ્યા છે, જેમાંથી 1203 લોકો સાજા થઈ ગયા છે. રાજસ્થાનના જયપુરમાં ઓમિક્રોનથી સંક્રમિત વ્યક્તિનું મોત થયું હતું અને તે ભારતમાં ઓમિક્રોનથી પ્રથમ મોત હતું.દેશના 27 રાજ્યો-કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ઓમિક્રોન પહોંચી ગયો છે. સૌથી વધુ મહારાષ્ટ્ર અને દિલ્હી પ્રભાવિત છે. મહારાષ્ટ્રમાં 876, દિલ્હીમાં 513, કર્ણાટક 333, રાજસ્થાનમાં 291, કેરળમાં 284, ગુજરાતમાં 204, તેલંગાણામાં 123, તમિલનાડુમાં 121, હરિયાણામાં 114, ઓડિશામાં 60, ઉત્તર પ્રદેશમાં 21, આંધ્રપ્રદેશમાં 28, પશ્ચિમ બંગાળમાં 27, ગોવામાં 10, આસામમાં 9, મધ્ય પ્રદેશમાં 9, ઉત્તરાખંડમાં 8, મેઘાલયમાં 4, અંદામાન-નિકોબારમાં 3, ચંદીગઢમાં 3, જમ્મુ-કાશ્મીરમાં 3, પોંડિચેરીમાં 2, પંજાબમાં 2, છત્તીસગઢમાં 1, હિમાચલ પ્રદેશમાં 1, લદ્દાખમાં 1, મણિપુરમાં 1 કેસ નોંધાયો છે.