Punjab Assembly Election 2022: પંજાબ વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકારણીઓ મતદારોને રીઝવવા માટે સતત આકર્ષક વચનો આપી રહ્યા છે. દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે પંજાબની જનતાને આપેલા આકર્ષક વચન બાદ હવે પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુએ મોટી જાહેરાત કરી છે કે જો ચૂંટણી પછી કોંગ્રેસ પાર્ટી સત્તામાં આવશે તો દરેક મહિલાને  2 હજાર રુપિયા દર મહિને અને 8 ગેસ સિલિન્ડર આપવામાં આવશે. 


નવજોત સિદ્ધુએ બરનાલાની રેલીમાં કહ્યું કે પંજાબની મહિલાઓને દર મહિને 2,000 હજાર આપવામાં આવશે. આ પહેલા પંજાબમાં અરવિંદ કેજરીવાલે દરેક મહિલાને મહિને એક હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. હવે કોંગ્રેસે બે હજાર આપવાની જાહેરાત કરી છે. એટલે કે ઘર સંભાળતી મહિલાઓને દર મહિને 2 હજાર આપવામાં આવશે.


સિદ્ધુની જાહેરાતની ખાસ વાતો-


પાંચમું પાસ દિકરીઓને આપશે - 5000 રુપિયા


10 પાસ દિકરીઓને - 15000 રુપિયા


12  પાસ દિકરીઓને - 20000 રુપિયા


કોલેજ એડમિશન સ્લિપ બતાવ્યા બાદ છોકરીઓને સ્કૂટી આપવામાં આવશે


વિદેશ જતી યુવતીને 1 ટેબલેટ આપશે


મહિલાઓના નામે મિલ્કત નોંધવામાં આવશે તો ફ્રિ રજીસ્ટર્ડ


ઘરેલું કામ માટે મહિલાઓને વ્યાજ વગર બે લાખ રૂપિયાની લોન આપશે


પાંચ એકરથી નીચેના ખેડૂત/મજૂરને રોજના 400 રૂપિયા આપશે


પંજાબ કોંગ્રેસ અધ્યક્ષે વધુમાં કહ્યું કે કોંગ્રેસ દરેક ગામમાં મહિલા કમાન્ડો બટાલિયન બનાવશે. દરેક ગામમાં બે મહિલાઓને આ બટાલિયનમાં મૂકવામાં આવશે.


કોરોના વાયરસનું સંક્રમણ ફરી એકવાર દેશભરમાં ઝડપથી ફેલાવાનું શરૂ


ઓમિક્રોનના ખતરા વચ્ચે, કોરોના વાયરસનું સંક્રમણ ફરી એકવાર દેશભરમાં ઝડપથી ફેલાવાનું શરૂ થયું છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હી-મુંબઈની સાથે પશ્ચિમ બંગાળ સહિત અન્ય રાજ્યોમાં પણ સંક્રમિત લોકોની સંખ્યા વધવા લાગી છે. કોરોનાના છેલ્લા 24 કલાકમાં 33 હજાર 750 નવા કેસ નોંધાયા છે જ્યારે આ સમયગાળા દરમિયાન 123 લોકોના મોત થયા છે. આ પછી, દેશમાં સક્રિય કોરોના દર્દીઓની સંખ્યા હવે વધીને 1 લાખ 45 હજાર 582 થઈ ગઈ છે.


જો કે આ સમય દરમિયાન કોરોનાના 10 હજાર 846 લોકો સારવાર બાદ સાજા થયા છે. અત્યાર સુધીમાં દેશમાં કોરોનાથી સાજા થયેલા લોકોની કુલ સંખ્યા વધીને 3 કરોડ 42 લાખ 95 હજાર 407 થઈ ગઈ છે. જ્યારે આ મહામારીને કારણે અત્યાર સુધીમાં 4 લાખ 81 હજાર 893 લોકોએ જીવ ગુમાવ્યા છે. તે જ સમયે, અત્યાર સુધીમાં રેકોર્ડ 145 કરોડથી વધુ રસીકરણ કરવામાં આવ્યું છે. કોરોનાના નવા વેરિઅન્ટ Omicron ના દર્દીઓની સંખ્યા વધીને 1700 થઈ ગઈ છે. સારી વાત એ છે કે આમાંથી 639 લોકો સાજા થઈ ગયા છે.