મુંબઇમાં રાહુલ ગાંધીએ ATM પર લાઇનમાં ઉભેલા લોકોની કરી મુલાકાત, કેંદ્ર સરકાર પર સાધ્યું નિશાન
abpasmita.in | 16 Nov 2016 03:26 PM (IST)
મુંબઇઃ કૉંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી પર આરોપ લગાવ્યો હતો. કે જ્યારે સમગ્ર દેશમાં બેંકો અને ATMની બહાર 18-20 લોકોની મોત થઇ ગય છે ત્યારે PM 'હસી રહ્યા છે' જાપાન અને ગોવાના ભાષણ તરફ ઇશારો કરતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે," અંદાજે 18-20 લોકોની લાઇનમાં ઉભા રહેવા દરમિયાન મોત થઇ ગઇ છે. રાહુલ ગાંધીએ મુંબઇમાં ATM પર લાઇનમાં ઉભેલા લોકોની પણ મુલાકાત કરી હતી. અને મહારાષ્ટ્રના CM ફડણવીસને ATM અને બેંકો પર મુશ્કેલી વેઠી રહેલા લોકો માટે સારી વ્યવસ્થા કરવામાં આવે તેમણે એવો પણ દાવો કર્યો હતો કે, 500 અને 1000 રૂપિયાની નોટો પર પ્રતિબંધની વાત બીજેપીના લોકોને પહેલાથી જ ખબર હતી. રાહુલે સવાલ કર્યો હતો કે, પ્રધાનમંત્રી તરફથી 8 નવેમ્બરે જાહેરાત કરવામાં આવી તે પહેલા જ પશ્ચિમ બંગળના બીજેપીના લોકોને કરોતડો રીપિયા જમા કરાવી દીધા હતા? તેમણે જણાવ્યું હતું કે, "બીજેપીના લોકો 2000 રૂપિયાની નોટોના બંડલો લઇને ઉભેલા જોઇ શકાય છે. જે સોશિયલ મીડિયમાં મોદીની જાહેરાત પહેલા જ વાયરલ થઇ ગઇ હતી." રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, "મોદી સરકારનું આ પગલું મોટું કૌભાંડ સાબિત થશે."