મુંબઈ: મહારાષ્ટ્ર નવનિમાર્ણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ નોટબંધીના મામલે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી પર નિશાન સાધ્યું હતું. તેણે કહ્યું કાળા નાણાં પર રોક લગાવવાના નામ પર આમ આદમીને મુશ્કેલીમાં નાખી પ્રધાનમંત્રી ખોટુ કરી રહ્યા છે.


ઠાકરેએ કહ્યું સવારે કાળા નાણા પર ગોવામાં ભાવૂક ભાષણ આપનારા પ્રધાનમંત્રી સાંજે શરદ પવારની તારીફ કરે છે. આ તેમની સાચી ઓળખ રજૂ કરે છે. રાજ ઠાકરેએ કહ્યું પ્રધાનમંત્રી કાળા નાણા બહાર લાવવા માટે નોટબંધીનું એલાન કરી રહ્યા છે જ્યારે બીજી તરફ પૂર્વ બીજેપી નેતા જનાર્દન રેડ્ડી 500 કરોડ ખર્ચ કરી પોતાની દિકરીના લગ્ન કરી રહ્યા છે. રાજ ઠાકરેએ પ્રધાનમંત્રી પર નિશાન સાધાતા કહ્યું બેંક અને એટીએમની બહાર ઉભા રહેલા 40 લોકોના મૃત્યું થયા છે શું આમાંથી કોઈ પાસે કાળા નાણાં હતા.