રાજેન્દ્ર પાલ ગૌતમે આજે મંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે. રાજેન્દ્ર પાલ ગૌતમે પોતાનું રાજીનામું મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મોકલી આપ્યું છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, "આજે મહર્ષિ વાલ્મીકિજીનો પ્રાગટ્ય દિવસ છે અને બીજી તરફ માન્યાવર કાંશીરામ સાહેબની પુણ્યતિથિ પણ છે. આવા સંયોગમાં, આજે હું ઘણા બંધનોમાંથી મુક્ત થયો અને આજે મારો ફરીથી જન્મ થયો. હવે હું મજબૂતી સાથે સમાજ પર થતા અત્યાટારો અને અધિકારોની લડાઈને કોઈપણ બંધન વગર ચાલુ રાખીશ.