અધિકારીઓ જણાવ્યું કે આ આર્થિક સહયોગ યુદ્ધમાં ઘાયય કે શહિદ થનાર સૈનિકો માટે બનાવવામાં આવેલા સૈનિક કલ્યાણ ફંડ(એબીસીડબ્લ્યૂએફ) હેઠળ આપવામાં આવશે. હાલ યુદ્ધમાં શહીદ થનારા અને 60 ટકા કે તેથી વધુ વિકલાંગ થનારા સિવાય અન્ય શ્રેણીમાં આવતા સૈનિકોને બે લાખ રૂપિયા સુધી આર્થિક સહાયતા આપવામાં આવતી હતી.
આ સહાયતા પેન્શન, સેનાનો સામુહિક વીમો, સેના કલ્યાણ ફંડ સિવાય આપવામાં આવે છે. રક્ષા મંત્રાલયના એક પ્રવક્તાએ જણાવ્યું કે, રક્ષા મંત્રીએ યુદ્ધમાં ભોગ બનનારાની તમામ શ્રેણીના પરિવારનો આપવામાં આવતી મદદ બે લાખથી વધારીને આઠ લાખ રૂપિયા કરવાની મંજૂરી આપી દીધી છે.