IAF Helicopter Crash: સંસદમાં રાજનાથ સિંહે કહ્યુ- 'આ દુર્ઘટના પર તપાસના આદેશ અપાયા છે'
તમિલનાડુના કુનુર પાસે હેલિકોપ્ટર ક્રેશમાં સીડીએસ બિપિન રાવત અને તેમના પત્નીનું નિધન થયું હતું
gujarati.abplive.com Last Updated: 09 Dec 2021 11:29 AM
બ્રેકગ્રાઉન્ડ
CDS Bipin Rawat Death: તમિલનાડુના કુનુર પાસે હેલિકોપ્ટર ક્રેશમાં સીડીએસ બિપિન રાવત અને તેમના પત્નીનું નિધન થયું હતું. તેમના અંતિમ સંસ્કાર 10 ડિસેમ્બર એટલે કે શુક્રવારે દિલ્હી કેનટોનમેન્ટમાં કરવામાં આવશે....More
CDS Bipin Rawat Death: તમિલનાડુના કુનુર પાસે હેલિકોપ્ટર ક્રેશમાં સીડીએસ બિપિન રાવત અને તેમના પત્નીનું નિધન થયું હતું. તેમના અંતિમ સંસ્કાર 10 ડિસેમ્બર એટલે કે શુક્રવારે દિલ્હી કેનટોનમેન્ટમાં કરવામાં આવશે. જનરલ રાવત અને તેમના પત્નીના પાર્થિવ દેહને આજે મિલિટ્રી વિમાનથી દિલ્હી લાવવામાં આવશે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
સાત મિનિટ અગાઉ તૂટ્યો હતો સંપર્ક
રાજનાથ સિંહે લોકસભામાં કહ્યું કે સીડીએસ જનરલ રાવત વેલિંગ્ટનમાં એક કાર્યક્રમમાં સામેલ થવા માટે ગયા હતા. તેમણે 11 વાગ્યે સુલુર એરબેઝથી ઉડાણ ભરી હતી. તેઓને 12:15 વાગ્યે વેલિંગ્ટનમાં લેન્ડ થવાનું હતું. પરંતુ 12:08 વાગ્યે કોન્ટેક્ટ ગુમાવી દીધો હતો. સાત મિનિટ અગાઉ સંપર્ક તૂટ્યો હતો. કેટલાક સ્થાનિક લોકોએ જંગલમાં હેલિકોપ્ટરને સળગતું જોયું હતું. ત્યારબાદ તેમણે સ્થાનિક પોલીસને જાણકારી આપી હતી.