Ayodhya Ram Mandir: અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામલલા પ્રાણ પ્રતિષ્ઠાનો ભવ્ય કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. આ કાર્યક્રમને ધ્યાનમાં રાખીને ઘણા રાજ્યોમાં રજાઓ જાહેર કરવામાં આવી છે, જ્યારે કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓને અડધા દિવસની રજા આપી છે. આ જ ક્રમમાં, જ્યારે મહારાષ્ટ્ર સરકારે પણ રજા જાહેર કરી, ત્યારે કાયદાનો અભ્યાસ કરતા 4 વિદ્યાર્થીઓ આ મામલે કોર્ટમાં પહોંચ્યા, જેની સુનાવણી આવતીકાલે રવિવારે (21 જાન્યુઆરી) થવાની છે.


લાઈવ લો અનુસાર, બોમ્બે હાઈકોર્ટની વિશેષ બેંચ રવિવારે સવારે 10.30 વાગ્યે આ 4 વિદ્યાર્થીઓ દ્વારા દાખલ કરવામાં આવેલી પીઆઈએલની સુનાવણી કરવા જઈ રહી છે. આ ચાર વિદ્યાર્થીઓના નામ છે શિવાંગી અગ્રવાલ, સત્યજીત સિદ્ધાર્થ સાલ્વે, વેદાંત ગૌરવ અગ્રવાલ અને સંદીપ બાંગિયન. આ કેસની સુનાવણી માટે જસ્ટિસ જીએસ કુલકર્ણી અને નીલા ગોખલેની વિશેષ બેંચની રચના કરવામાં આવી છે.


મહારાષ્ટ્ર સરકારના આદેશનો વિરોધ


મહારાષ્ટ્ર સરકારે શુક્રવારે (19 જાન્યુઆરી) એક આદેશ જારી કરીને રાજ્યમાં 22 જાન્યુઆરીને જાહેર રજા જાહેર કરી હતી. અરજીકર્તાઓએ કહ્યું કે કોઈપણ ધાર્મિક પ્રસંગની ઉજવણી માટે જાહેર રજા જાહેર કરવી એ બંધારણમાં સમાવિષ્ટ બિનસાંપ્રદાયિકતાના સિદ્ધાંતોનું ઉલ્લંઘન છે. કાયદાના વિદ્યાર્થીઓએ દલીલ કરી હતી કે કોઈપણ રાજ્ય કોઈપણ ધર્મ સાથે સાંકળી શકતું નથી અથવા તેને પ્રોત્સાહન આપી શકતું નથી.


વિદ્યાર્થીઓએ અરજીમાં શું કહ્યું?


લિવ લો અનુસાર, અરજીમાં કહેવામાં આવ્યું છે કે, હિંદુ મંદિરની ગરિમાની ઉજવણી, તેમાં ખુલ્લેઆમ ભાગ લેવો અને આ રીતે કોઈ ચોક્કસ ધર્મ સાથે જોડવાનું સરકારનું આ કૃત્ય ધર્મનિરપેક્ષતાના સિદ્ધાંતો પર સીધો હુમલો છે. તેણે વધુમાં જણાવ્યું હતું કે, “જાહેર રજાઓની ઘોષણા સંબંધિત કોઈપણ નીતિ સત્તામાં રહેલા રાજકીય પક્ષની ઈચ્છાઓ પર આધારિત હોઈ શકે નહીં. રજા કોઈ વ્યક્તિગત દેશભક્ત અથવા ઐતિહાસિક વ્યક્તિની યાદમાં જાહેર કરવામાં આવી શકે છે પરંતુ સમાજના ચોક્કસ વર્ગ અથવા ધાર્મિક સમુદાયને ખુશ કરવા માટે રામ લલ્લાની પ્રતિષ્ઠાને ઉજવવા માટે નહીં.


રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઇને  કેન્દ્ર સરકારે સરકારી કાર્યલયમાં 22 જાન્યુઆરે અડધા દિવસની રજા જાહેર કરી છે.  રામ મંદિરના ઉદ્ઘાટનને લઈને પૂરજોશમાં ચાલી રહેલી તૈયારીઓ વચ્ચે કેન્દ્રની મોદી સરકારે ગુરુવારે (18 જાન્યુઆરી) એક મોટી જાહેરાત કરી છે. કેન્દ્રીય રાજ્ય મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું કે, 22 જાન્યુઆરીએ રામ લલ્લાના અભિષેકના દિવસે સરકારી કચેરીઓ અડધા દિવસ માટે બંધ રહેશે. તેમણે કહ્યું કે આ નિર્ણય  જનતાની લાગણીઓને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. સરકારે પોતાના આદેશમાં કહ્યું, "અયોધ્યામાં રામલલા પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરી, 2024 ના રોજ સમગ્ર ભારતમાં ઉજવવામાં આવશે." કર્મચારીઓને ઉત્સવમાં ભાગ લેવા સક્ષમ બનાવવા માટે, એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે, સમગ્ર ભારતમાં કેન્દ્ર સરકારની તમામ કચેરીઓ, કેન્દ્રીય સંસ્થાઓ અને કેન્દ્રીય ઔદ્યોગિક સંસ્થાઓ 22 જાન્યુઆરી 2024 ના રોજ બપોરે 2:30 વાગ્યા સુધી અડધા દિવસની રજા રહેશે.