PM Modi Ram Mandir Speech Highlights: સમગ્ર ભારત આજે રામમય, દરેક મન રોમાંચિત અને દરેક ઘર દીપમય છે- પીએમ મોદી

વડાપ્રધાન મોદી અયોધ્યામાં આશરે ત્રણ કલાકનો સમય વિતાવશે. જેમાં મંદિર દર્શન, પૂજા અર્ચના કાર્યક્રમનો સમાવિશ્ટ છે.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 05 Aug 2020 02:33 PM
પીએમ મોદીએ કહ્યું કે, વિશ્વની સૌથી વધારે મુસ્લિમ જનસંખ્યા જે દેશમાં છે છે ઇન્ડોનેશિયા અને ત્યાં રામાયાણના અનેક રૂપ જોવા મળે છે. ત્યાં પણ રામ આરાધ્ય તરીકે પૂજવામાં આવે છે અને લોકોની આસ્થા તેમનામાં છે. વિશ્વના અનેક એવા છેડા છે જ્યાંની આસ્થામાં અને ન જાને કેટલા રૂપમાં રામને લોકો આરાધ્ય માને છે. એવા તમામ દેશોમાં રામ મંદિરનું નિર્માણ શરૂ થવાથી ઉત્સાહ છે. અયોધ્યામાં બનનારા રામ મંદિર માત્ર આપણા મેટ જ નહીં, પરંતુ માનવતાને પ્રેરણા આપતું રહેશે. કારણ કે રામ તો બધાને છે, રામ તો બધામાં છે.
પીએમ મોદીએ કહ્યું કે, જે રામ તુલસી અને કબીરના સમયમાં ભજનોમાં વિશ્વાસ આપી રહ્યા છે તે જ સ્વતંત્રતા આંદોલના સમયે મહાત્મા ગાંધીના વચનોમાં દેશવાસિઓને શક્તિ આપી રહ્યા છે. રામ મંદિર માટે ચાલેલ આંદોલમાં અર્પણ પણ હતું, તર્પણ પણ હતું, સંઘર્ષ પણ હતો, સંકલ્પ પણ હતો. જેના ત્યાગ, બલિદાન અને સંઘર્ષથી આજે આ સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે, જેની તપસ્યા રામમંદિરમાં પાયા તરીકે જોડાયેલ રહી છે, હું એ બધાને આજે 130 કરોડ દેશવાસીઓ તરફથી નમન કરું છું.
પીએમ મોદીએ કહ્યું કે, જે રામ તુલસી અને કબીરના સમયમાં ભજનોમાં વિશ્વાસ આપી રહ્યા છે તે જ સ્વતંત્રતા આંદોલના સમયે મહાત્મા ગાંધીના વચનોમાં દેશવાસિઓને શક્તિ આપી રહ્યા છે. રામ મંદિર માટે ચાલેલ આંદોલમાં અર્પણ પણ હતું, તર્પણ પણ હતું, સંઘર્ષ પણ હતો, સંકલ્પ પણ હતો. જેના ત્યાગ, બલિદાન અને સંઘર્ષથી આજે આ સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે, જેની તપસ્યા રામમંદિરમાં પાયા તરીકે જોડાયેલ રહી છે, હું એ બધાને આજે 130 કરોડ દેશવાસીઓ તરફથી નમન કરું છું.
પીએમ મોદીએ કહ્યું કે, ભગવાન રામની અદ્ભૂત શક્તિ જુઓ કે ઇમારીતો નષ્ઠ કરવામાં આવી, અસ્તિત્વ મીટાવવાનો પ્રયત્ન પણ થયો, પરંતુ રામ આજે પણ આપણા મનમાં વસ્યા છે, આપણી સંસ્કૃતિનો આધાર છે. શ્રીરામ ભારતની મર્યાદા છે, શ્રીરામ મર્યાદા પુરષોત્તમ છે. રામ આપણાં મનમાં છે, આપણી અંદર છે. કોઈ કામ કરવું હોય તો પ્રેરણા માટે આપણે ભગવાન રામ તરફ જોઈએ છીએ. ભારતની અસ્થા, ભારતના લોકોની સામૂહિક શક્તિ વિશ્વના લોકો માટે રિસર્ચનો અને અધ્યયનો વિષય છે. શ્રીરામનું ચરિત્ર જે કેન્દ્ર બિંદુ આસપાસ વધારે ફરે છે તે છે સત્ય પર અડગ રહેવું, માટે જ શ્રીરામ અમિટ છે.

પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે, શ્રીરામનું મંદિર આપણી સંસ્કૃતિનું આધુનિક પ્રતીક બનશે. આપણી શાશ્વત આસ્થાનું પ્રતીક બનશે, રાષ્ટ્રીય ભાવનાનું પ્રતીક બનશે અને આ મંદિર કરોડ કરોડો લોકોની સામુહિક શક્તિનું પણ પ્રતીક બનશે.
પીએમ મોદીએ કહ્યું કે, સમગ્ર દુનિયાના લોકો આ ભવ્ય રામ મંદિર બન્યા બાદ અહીં પ્રભુ રામ અને માતા જાનકીના દર્શન માટે આવશે. આ રામ મંદિર વર્તમાનને અતીત સાથે જોડવાનું પ્રતીક હોવાની સાથે સાથે નરથી નારાયણને જોડવાનું પ્રતીક છે.
મંદિર માટેના આંદોલનમાં અર્પણ પણ હતું અને તર્પણ પણઃ પીએમ
સ્વતંત્ર આંદોલન વખતે કેટલીય પેઢીઓએ પોતાનું બધું સમર્પતિ કર્યુંઃ પીએમ મોદી
આ મંદિર આવનારી પેઢીઓને આસ્થા, શ્રદ્ધાની પ્રેરણા આપશેઃ પીએમ મોદી
વર્ષો પછી રાનજન્મ ભૂમિ આજે મુક્ત થઈઃ પીએમ મોદી
મંદિરના નિર્માણ પછી દરેક ક્ષેત્રમાં અવસર વધશેઃ પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે, ‘રામ કાજુ કીન્હે બિનુ મોહિ કહાં વિશ્રામ’, અને આ રીતે તેમણે કહ્યું કે, રામ મંદિર માટે અનેક અનેક વર્ષોથી ચાલી રહેલ તેમની રાહ આજે પૂરી થઈ ગઈ.
પીએમ મોદીએ કહ્યું કે, હું ખુદને સૌભાગ્યશાળી સમજું છું કે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે આટલા મોટા કાર્ય અને રામ મંદિરના શુભ ભૂમિ પૂજન માટે તેમને પસંદ કર્યા. કરોડો લોકોને એ વાતનો વિશ્વાસ નહીં થતો હોય કે તેમના જીવતા જીવ આ કામ શરૂ થઈ રહ્યું છે. રામ જન્મભૂમિ આજે મુક્ત થઈ અને આજે સમગ્ર ભારત રામમય થઈ ગયું છે.
વર્ષોની રાહ જોયા બાદ ભવ્ય રામ મંદિર બનવા જઈ રહ્યું છે- પીએમ મોદી
પીએમ મોદીએ પોતાના સંબોધન પહેલા રામ મંદિરનો પોસ્ટલ સ્ટેમ્પ બહાર પાડ્યો અને તેને સીએમ યોગી આદિત્યનાથએ કર્ણાટકથી મોકલવામાં લાકડાની શ્રી રામના પ્રતિમા ભેટમાં આપી.
ભૂમિ પૂજનના ચાલી રહેલ કાર્યક્રમમાં હાલમાં મંડપમાં પીએમ મોદી ઉપરાંત મોહન ભાગવત, સીએમ યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ હાજર છે.
રામ જન્મભૂમિ પૂજન સંપન્ન કરાવનાર પંડિત મંત્રોચ્ચારની વચ્ચે પીએમ મોદી ધાર્મિક ક્રિયાઓ કરી રહ્યા છે. ભૂમિ પૂજનનું લાઈવ પ્રસારણ પણ કરવામાં આવી રહ્યું છે જે મોટી એલઈડી સ્ક્રીન દ્વારા હાજર લોકો પણ જોઈ શકે છે.
પીએમ મોદી રામ જન્મભૂમિનું ભૂમિ પૂજન કરી રહ્યા છે અને તમામ પૂજા - અર્ચના નિયમોનું પાલન કરતાં આ કાર્યક્રમ થઈ રહ્યો છે. સૌથી પહેલા તેમના હાથ ધોવડાવવામાં આવ્યા અને મંત્રોચ્ચારની વચ્ચે પીએમ મોદી મુખ્ય સ્થાન પર બેઠા છે.
પ્રધાનમંત્રી મોદી ભૂમિ પૂજન સ્થળ પર પહોંચ્યા, પૂજા થઈ શરૂ
હનુમાગઢીથી રામ જન્મભૂમિ સ્થળે જઈને પ્રધાનમંત્રી મોદીએ રામ લલાના દર્શન-આરતી કરી પ્રદક્ષિણા કરી.
પ્રધાનમંત્રી મોદીએ રામ જન્મભૂમિ પરિસરમાં રામ લલાને દંડવત પ્રણામ કર્યા.
હનુમાગઢગઢીમાં પ્રધાનમંત્રી મોદીને પાઘડી ભેટમાં આપવામાં આવી.
પીએમ મોદીએ હનુમાનગઢીમાં ભગવાન હનુમાનના દર્શન આરતી અને પરિક્રમા કરી. અહીં તેમણે આરતી કર્યા બાદ થાલીમાં દક્ષિણા પણ મુકી.
પીએમ નરેન્દ્ર મોદી 28 વર્ષ બાદ અયોધ્યા પહોંચ્યા અને આ પહેલા તેઓ 1992માં અયોધ્યા આવ્યા હતા. તે સમયે તેઓ રામ મંદિર આંદોલનનો ભાગ હતા અને હાલમાં તેઓ પ્રધાનમંત્રી તરીકે અયોધ્યામાં રામલલાના દર્શન કરવા પહોંચ્યા છે.
પીએમ મોદી હેલીકોપ્ટરમાંથી ઉતરતા જ સીએમ યોગીએ તેમનું સ્વાગત કર્યું. પીએમે અયોધ્યામાં ઉતરતા જ ચહેરા પર માસ્ક લગાવ્યું અને ત્યાં હાજર લોકોનું અભિવાદન સ્વીકાર કર્યું.
પીએમ મોદી હેલીકોપ્ટરમાંથી ઉતરતા જ સીએમ યોગીએ તેમનું સ્વાગત કર્યું. પીએમે અયોધ્યામાં ઉતરતા જ ચહેરા પર માસ્ક લગાવ્યું અને ત્યાં હાજર લોકોનું અભિવાદન સ્વીકાર કર્યું.
રામ જન્મભૂમિ પૂજન કાર્યક્રમ માટે પીએમ મોદી અયોધ્યા પહોંચ્યા.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવત રામ જન્મભૂમિ કાર્યક્રમ માટે પહોંચ્યા છે. તેઓ ભૂમિ પૂજન માટે થનારા કાર્યક્રમમાં બનેલ મંચ પર બેસનારા પાંચ લોકોમાં સામેલ છે.
પીએમ મોદીના હેલીકોપ્ટરે લખનઉથી અયોધ્યા માટે ઉડાન ભરી લીધી છે અને થોડી જ વારમાં અયોધ્યા પહોંચી જશે. સુરક્ષા કારણોસર ત્રણ હેલીકોપ્ટરનો કાફલો અયોધ્યા માટે નીકળ્યો છે અને તેમાંથી જ એક હેલીકોપ્ટરમાં પીએમ મોદી સવાર છે. અયોધ્યામાં સીએમ યોગી તેમનું સાકેત સ્થિત હેલીપેડ પર રાહ જોઈ રહ્યા છે અને પીએમ આવતા જ તેમનું સ્વાગત કરશે.
લખનઉ એરપોર્ટ પર જ્યારે પીએમ મોદી પહોંચ્યા તો તેમના સ્વાગત માટે સોશિયલ ડિસ્ટન્સિંગનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે.
રામ જન્મભૂમિ પૂજન સ્થળની એક્સક્લૂસિવ તસવીર આવી સામે. તમામ આમંત્રિત ગણમાન્ય લોકો પહોંચી ગયા છે. ત્યાં મહેમાનોને બેસવા માટે કરવામાં આવેલ વ્યવસ્થામાં સોશિયલ ડિસ્ટન્સિંગનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે.
રામ જન્મભૂમિ પૂજન સ્થળની એક્સક્લૂસિવ તસવીર આવી સામે. તમામ આમંત્રિત ગણમાન્ય લોકો પહોંચી ગયા છે. ત્યાં મહેમાનોને બેસવા માટે કરવામાં આવેલ વ્યવસ્થામાં સોશિયલ ડિસ્ટન્સિંગનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે.
રામ જન્મભૂમિ પૂજન સ્થળની એક્સક્લૂસિવ તસવીર આવી સામે. તમામ આમંત્રિત ગણમાન્ય લોકો પહોંચી ગયા છે. ત્યાં મહેમાનોને બેસવા માટે કરવામાં આવેલ વ્યવસ્થામાં સોશિયલ ડિસ્ટન્સિંગનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાકેતમાં બનેલ હેલીપેડ સ્થાન પર પહોંચી ગયા છે અને પીએમ મોદી કોઈપણ સમયે પહોંચી શકે છે. અહીં પર સીએમ યોગી તેમનું સ્વાગત કરશે અને ત્યાર બાદ બધા હનુમાનગઢી જવા માટે નીકળશે.
રામ જન્મભૂમિ પરિસરથી ઉમા ભારતીએ કહ્યું કે, અયોધ્યાએ બધાને એક કર્યા છે.
ઉમા ભારતીએ ટ્વીટ કરીને એ વાતની જાણકારી આપી કે હવે તેઓ રામ જન્મભૂમિ શિલાન્યાસ કાર્યક્રમમાં સામેલ થશે અને તેમને રામ જન્મભૂમિ ન્યાસના વરિષ્ઠ અધિકારીઓએ આમ કરવા માટે કહ્યું છે.
રામ મંદિર ભૂમિ પૂજન પહેલા યૂપીના સીએમ યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ આનંદીબેન પટેલનો કોરના ટેસ્ટ કરવામાં આવ્યો અને બન્નેનો ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. ઉપરાંત યૂપીના બન્ને નાયબ મુખ્યમંત્રીનો પણ કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.
તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સ્વામી ગોવિંદદેવ ગિરી મહારાજના બોરસલીના લાકડામાંથી બનેલ આ પાત્ર (શંકુ)ને આજે રામ મંદિર ભૂમિ પૂજન માટે જમીનમાં રાખવામાં આવશે અને આ ખાસ પાત્ર ઉપરાંત સોના ચાંદીના અભિમંત્રિત શ્રીયંત્ર પણ છે.
તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સ્વામી ગોવિંદદેવ ગિરી મહારાજના બોરસલીના લાકડામાંથી બનેલ આ પાત્ર (શંકુ)ને આજે રામ મંદિર ભૂમિ પૂજન માટે જમીનમાં રાખવામાં આવશે અને આ ખાસ પાત્ર ઉપરાંત સોના ચાંદીના અભિમંત્રિત શ્રીયંત્ર પણ છે.
પીએમ મોદી બપોરે 12 કલાકે રામ જન્મભૂમિ પહોંચશે અને 12 કલાકે 5 મિનિટે રામલલાના દર્શન કરશે. ત્યાર બાદ રામ જન્મભૂમિ પરિસરમાં 12 કલાકે 15 મિનિટ પર પારિજાત વૃક્ષારોપણ કરશે. ઠીક 12 કલાકે 30 મિનિટે ભૂમિ પૂજન કરશે અને 12 કલાકે 40 મિનિટ પર રામ મંદિરની આધારશિલા રાખશે. ત્યાર બાદ 1 કલાકને 15 મિનિટે પીએમ મોદી દેશને સંબોધિત કરશે. ત્યાર બાદ 2 કલાકને 5 મિનિટ પર સાકેત સ્થિત હેલીપેડ રવાના થસે અને ત્યાંથી દિલ્હી માટે નીકળશે.
પીએમ નરેન્દ્ર મોદીએ આજે શુભ અવસર પર ગોલ્ડન રંગનો કુર્તો, ધોતી અને પટકા પહેર્યું છે. તેઓ એરપોર્ટ પર નમસ્કાર કરતાં આગળ વધ્યા અને સવારે ઠીક 9.35 કલાકે તેમનું વિમાન લખનઉ માટે ટેક ઓફ કર્યું છે.
પીએમ નરેન્દ્ર મોદીએ આજે શુભ અવસર પર ગોલ્ડન રંગનો કુર્તો, ધોતી અને પટકા પહેર્યું છે. તેઓ એરપોર્ટ પર નમસ્કાર કરતાં આગળ વધ્યા અને સવારે ઠીક 9.35 કલાકે તેમનું વિમાન લખનઉ માટે ટેક ઓફ કર્યું છે.
પીએમ નરેન્દ્ર મોદીએ આજે શુભ અવસર પર ગોલ્ડન રંગનો કુર્તો, ધોતી અને પટકા પહેર્યું છે. તેઓ એરપોર્ટ પર નમસ્કાર કરતાં આગળ વધ્યા અને સવારે ઠીક 9.35 કલાકે તેમનું વિમાન લખનઉ માટે ટેક ઓફ કર્યું છે.
પીએમ મોદી દિલ્હીથી અયોધ્યા જવા રવાના થયા.તેઓ 10.35 કલાકે લખનઉ પહોંચશે.

બ્રેકગ્રાઉન્ડ

આજે અયોધ્યામાં રામ જન્મભૂમિ પર રામ મંદિર નિર્માણનુ ભૂમિ પૂજન કાર્યક્રમ યોજાવવાનો છે. આ ભૂમિ પૂજન કાર્યક્રમમાં દેશની મોટી મોટી હસ્તીઓ સામેલ થવાની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભૂમિ પૂજનમાં મુખ્ય અતિથી બનશે. અહીં સુંદર શણગાર સાથે ભૂમિ પૂજન માટેની તૈયારીઓ પૂરી કરી દેવાઇ છે. ખાસ વાત છે કે કોરોના સંકટને લઈને ગાઈડલાઈનનું અહીં ચૂસ્ત પાલન કરવુ જરૂરી છે. જેથી વડાપ્રધાન મોદી અયોધ્યામાં આશરે ત્રણ કલાકનો સમય વિતાવશે. જેમાં મંદિર દર્શન, પૂજા અર્ચના કાર્યક્રમનો સમાવિશ્ટ છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.