Ration Card Eligibility: ભારત સરકાર દેશના લોકો માટે ઘણી બધી યોજનાઓ ચલાવે છે. વિવિધ લોકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને યોજનાઓ લાવવામાં આવે છે. દેશમાં આજે પણ ઘણા એવા લોકો રહે છે, જેમની પાસે બે ટંકનું ભોજન ખાવા માટે પૈસા નથી હોતા. ભારત સરકાર આવા લોકોને નેશનલ ફૂડ સર્વિસ એક્ટ હેઠળ રેશન પૂરું પાડે છે.


તો વળી ઘણા લોકોને અત્યંત ઓછા દરે રેશન આપવામાં આવે છે. રેશન કાર્ડ ભારતમાં ઉપયોગમાં લેવાતો અત્યંત મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. રેશન ઉપરાંત આ ઘણી સરકારી યોજનાઓમાં કામ આવે છે. ઘણા લોકોના મનમાં પ્રશ્ન આવે છે કે શું ધનવાન લોકો પણ રેશન કાર્ડ બનાવી શકે છે. ચાલો તમને આનાથી સંબંધિત નિયમો જણાવીએ.


ધનવાન લોકોનું રેશન કાર્ડ બને છે?


ભારત સરકાર દ્વારા રેશન કાર્ડ ગરીબ જરૂરિયાતમંદ લોકો માટે બનાવવામાં આવે છે. લોકોની આવકના હિસાબે તેમને રેશન કાર્ડ જારી કરવામાં આવે છે. કુલ ચાર પ્રકારના રેશન કાર્ડ હોય છે. જેમાં વાદળી અને પીળા રેશન કાર્ડ એવા લોકો માટે બનાવવામાં આવે છે, જેમની વાર્ષિક આવક ગામમાં 6400 રૂપિયા અને શહેરોમાં 11850 રૂપિયા વાર્ષિકથી વધુ નથી હોતી. ત્યારબાદ ગુલાબી રેશન કાર્ડ એવા પરિવારો માટે બનાવવામાં આવે છે, જેમની વાર્ષિક આવક ગરીબી રેખાની સીમાથી ઘણી ઓછી હોય છે.


તો વળી સફેદ રેશન કાર્ડ એવા લોકોને આપવામાં આવે છે, જે સારી આર્થિક સ્થિતિના હોય છે. આ રેશન કાર્ડ પર સબસિડી વાળું રેશન આપવામાં આવતું નથી. આ રેશન કાર્ડનો ઉપયોગ ઓળખપત્ર, સરનામાના પુરાવા તરીકે થાય છે. એટલે કે કહી શકાય કે ધનવાન લોકો પણ સફેદ રેશન કાર્ડ બનાવી શકે છે. પરંતુ તેમને યોજનાઓનો લાભ નહીં મળે.


રેશન કાર્ડના ફાયદા


રેશન કાર્ડનો ઉપયોગ માત્ર રેશન લેવા માટે જ નથી થતો. પરંતુ તેની મદદથી તમે અન્ય સરકારી યોજનાઓમાં લાભ લઈ શકો છો. રેશન કાર્ડ એક માન્ય ઓળખ પ્રમાણપત્ર તરીકે ઉપયોગમાં લઈ શકાય છે. આ ઉપરાંત સરનામાના પુરાવા તરીકે પણ રેશન કાર્ડનો ઉપયોગ કરી શકો છો.


કેવી રીતે રેશન કાર્ડ બનાવશો?


રેશન કાર્ડ તમે ઓનલાઇન અને ઓફલાઇન બંને રીતે બનાવી શકો છો. ઓનલાઇન રેશન કાર્ડ માટે અરજી આપવા માટે તમારે ખાદ્ય અને નાગરિક પુરવઠા વિભાગની સત્તાવાર વેબસાઇટ પર જવું પડશે. જ્યારે ઓફલાઇન માટે તમારે તમારી નજીકના સર્કલ ઓફિસમાં જઈને અરજી આપવી પડશે.


આ પણ વાંચોઃ


નર્મદાનું પાણી પીતા હોય તો AMCની આ ચેતવણી વાંચી લેજો નહીં તો માંદા પડશો!