નોટબંધી પર પ્રથમ વખત બોલ્યા RBI ગવર્નર, કહ્યું- ‘પરિસ્થિતિ પર છે નજર, કેશની કોઈ તકલીફ નથી’
abpasmita.in | 27 Nov 2016 06:35 PM (IST)
નવી દિલ્લી: નોટબંધીના નિર્ણય પર આજ સુધી મીડિયાથી દૂર રહેલા ભારતીય રિજર્વ બેંકના ગવર્નર ઉર્જિત પટેલે પ્રથમ વખત નોટબંધીને લઈને નિવેદન આપતા કહ્યું કે પરિસ્થિતિ પર નજર છે, કેશની કોઈ તકલીફ નથી આરબીઆઈ ગવર્નરે કહ્યુ કે લોકોની તકલીફો દૂર કરવા માટે જરૂરી પગલાઓ લેવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે જે ઈમાનદાર છે અને જેમને તકલીફ પડી રહી છે તેમને દૂર કરવાની કોશિશ કરવામાં આવી રહી છે. ઉર્જિત પટેલે એમ પણ કહ્યુ કે દેશમાં કેશની કમી નથી, અને જેટલા કેશની જરૂરિયાત છે પ્રિટીંગ પ્રેસ તેટલી નોટો છાપવા માટે સક્ષમ છે. નોટબંધીને લઈને સોશ્યલ મીડિયા પર સવાલો ઉઠાવવામા આવી રહ્યા હતા કે આખરે ઉર્જિત પટેલ ક્યા છે અને શાંત કેમ છે.