PM Modi in Varanasi:પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વારાણસીની મુલાકાતે પહોંચ્યા છે. અહીં, બનૌલીમાં જાહેર સભા સ્થળના મંચ પરથી, તેમણે કાશી સાથેના પોતાના જોડાણનો ઉલ્લેખ કર્યો અને 'ઓપરેશન સિંદૂર'ની સફળતા માટે બાબા વિશ્વનાથનો આભાર માન્યો. પહેલગામ આતંકવાદી હુમલાનો ઉલ્લેખ કરતા, પીએમ મોદીએ કહ્યું, "કાશીના મારા ગુરુ કાશીના લોકો છે, હાલ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે, આ કાશી છે તો  દેશભરના ખેડૂતો સાથે જોડાવાનો આનાથી સારો સમય શું હોઇ શકે.

મહાદેવના આશીર્વાદથી બદલો લીધો

પીએમ મોદીએ ભોજપુરીમાં જનતા સાથે પણ વાત કરી,પીએમ મોદીએ ભોજપુરીમાં કહ્યું - શ્રાવણ મહિનામાં, આજે મને કાશીમાં મારા પરિવારના લોકોને મળવાની તક મળી છે. હું કાશીના દરેક પરિવારને વંદન  કરું છું.

જિલ્લાને પ્રોજેક્ટ્સની ભેટ આપી

આ પહેલા, વડા પ્રધાન મોદીએ કાશીમાં 2200 કરોડના 52 પ્રોજેક્ટ્સ લોન્ચ કર્યા. આ સાથે, દેશભરના 9.7 કરોડથી વધુ ખેડૂતો માટે સન્માન નિધિ (20 હજાર 500 કરોડ રૂપિયા)નો 20મો હપ્તો જાહેર કરવામાં આવ્યો. આ ઉપરાંત, દાળ મંડી પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરવામાં આવ્યો. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બનૌલીમાં જાહેર સભા સ્થળે તેમનું સ્વાગત કર્યું. યોગીએ કહ્યું, ઓપરેશન સિંદૂરની સફળતા પછી પીએમ કાશી પહોંચ્યા છે. આ નવું ભારત પહેલગામના આતંકવાદીઓને દફનાવવાનું, દુશ્મનના ઘરમાં ઘૂસીને તેમને ખતમ કરવાનું કામ કરે છે.પીએમ મોદીએ વધુમાં કહ્યું, 'ઓપરેશન સિંદૂર પછી આજે હું પહેલી વાર કાશી આવ્યો છું. 22 એપ્રિલે પહેલગામમાં આતંકવાદી હુમલો થયો હતો, 26 નિર્દોષ લોકોની ક્રૂરતાથી હત્યા કરવામાં આવી હતી. તેમના પરિવારોની પીડા, તે બાળકોની પીડા, દીકરીઓની પીડા, મારું હૃદય ખૂબ પીડામાંથી પસાર થયું. ત્યારે હું બાબા વિશ્વનાથને પ્રાર્થના કરી રહ્યો હતો કે તેઓ બધા અસરગ્રસ્ત પરિવારોને આ પીડા સહન કરવાની હિંમત આપે.'

તેમણે વધુમાં કહ્યું, મારી દીકરીઓના સિંદૂરનો બદલો લેવાનું મેં જે વચન આપ્યું હતું તે પણ પૂર્ણ થયું છે. આ ફક્ત મહાદેવના આશીર્વાદથી જ પૂર્ણ થયું છે. હું ઓપરેશન સિંદૂરની સફળતા તેમના ચરણોમાં સમર્પિત કરું છું. આ પહેલા પીએમ મોદીએ કાશીના દરેક પરિવારને વંદન કરીને પોતાનું સંબોધન શરૂ કર્યું. તેમણે પોતાના સંબોધનની શરૂઆત નમઃ પાર્વતી પતયે, હર-હર મહાદેવથી કરી.