Arwal Road Accident: અરવલ જિલ્લામાં નેશનલ હાઈવે 139 પર શુક્રવારે મોડી રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. અનિયંત્રિત ટ્રકે ઓટોને જોરદાર ટક્કર મારી, જેના કારણે ઓટોમાં સવાર પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા. ટક્કર એટલી જોરદાર હતી કે ઓટોનો કચ્ચરઘાણ વળી ગયો. આ ઘટના સદર પોલીસ સ્ટેશન વિસ્તારના હસનપુર કુટી ગામ પાસે બની હતી. ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મામલાની તપાસ શરૂ કરી હતી. પોલીસે મૃતદેહોનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલા આપ્યા હતા.


પોલીસ મૃતકોની ઓળખ કરવામાં કામે લાગી 


ઘટના અંગે જણાવવામાં આવી રહ્યું છે કે ટ્રક અને ઓટો બંને ઔરંગાબાદથી અરવલ તરફ આવી રહ્યા હતા. ઓટો આગળ વધી રહી હતી. ટ્રકે ઓટોને પાછળથી ટક્કર મારીને કચડી નાંખી હતી, જેમાં પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. મૃતકોમાંથી એકની ઓળખ અંકિત કુમાર તરીકે થઈ છે, જે અરાહના જગદીશપુરનો રહેવાસી છે. પોલીસ તમામ મૃતકોની ઓળખ કરવામાં વ્યસ્ત છે. સ્થળ પર એસપી મો. કાસિમ પણ પહોંચી ગયા છે.


વિદેશ મંત્રી એસ જયશંકરે પાકિસ્તાનને બરાબરનું ધોયું


કેન્દ્રીય વિદેશ મંત્રી એસ જયશંકરે શુક્રવારે (5 મે)ના રોજ ગોવામાં વિદેશ મંત્રીની SCO બેઠક બાદ આતંકવાદના મુદ્દે ફરી એકવાર પાકિસ્તાન પર પ્રહારો કર્યા હતા. જયશંકરે કહ્યું,  આતંકવાદ પર પાકિસ્તાનની વિશ્વસનીયતા તેના વિદેશી મુદ્રા ભંડાર કરતાં પણ વધુ ઝડપથી ઘટી રહી છે.  તેમણે કહ્યું,  આતંકવાદના પીડિત આતંકવાદ પર ચર્ચા કરવા તેના  ગુનેગારો સાથે નથી બેસતા. વિદેશ મંત્રીએ કહ્યું કે SCO સભ્ય દેશના વિદેશ મંત્રી તરીકે બિલાવલ ભુટ્ટો ઝરદારી  ભારત આવ્યા. જો કે  આતંકવાદના પ્રમોટર દેશના પ્રવક્તા તરીકેની તેની ભૂમિકા પર સવાલો ઉભા થયા છે.


ટેરરિઝ્મ ઈન્ડસ્ટ્રીના પ્રમોટર અને પ્રવક્તા...'


જયશંકરે કહ્યું, “SCO સભ્ય દેશ હોવાના કારણે પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારી સાથે એવો જ વ્યવહાર કરવામાં આવ્યો. એક ટેરરિઝ્મ ઈન્ડસ્ટ્રી જે પાકિસ્તાનનો મુખ્ય આધાર છે, ના પ્રમોટર, જસ્ટીફાયર અને પ્રવક્તાના રુપમાં તેમના પદોની આલોચના કરવામાં આવી અને એસસીઓની બેઠકમાં તેનો કરવામાં આવ્યો. 


પાકિસ્તાન પર વિદેશ મંત્રી જયશંકરે ટોણો માર્યો


એક પાકિસ્તાની પત્રકારના પ્રશ્નનો જવાબ આપતાં, જેમાં ભારત-પાકિસ્તાન સંબંધો પરના સવાલનો પણ સમાવેશ થાય છે, વિદેશ મંત્રી જયશંકરે ટોણો માર્યો હતો કે, "આતંકવાદનો ભોગ બનેલા લોકો આતંકવાદના ગુનેગારો સાથે આતંકવાદની ચર્ચા કરવા નથી બેસતા.  આતંકવાદનો ભોગ બનેલા લોકો પોતાનો બચાવ કરે છે, તેઓ નિંદા કરે છે. બિલાવલ છેલ્લા 12 વર્ષમાં ભારતની મુલાકાત લેનારા પ્રથમ પાકિસ્તાની વિદેશ મંત્રી છે. 2011 માં પાકિસ્તાનના તત્કાલિન વિદેશમંત્રી હિના રબ્બાની ખારે ભારતની મુલાકાત લીધી હતી અને તેમના તત્કાલીન સમકક્ષ એસએમ કૃષ્ણા સાથે વાતચીત કરી હતી. તત્કાલિન વડાપ્રધાન નવાઝ શરીફે 2014માં પીએમ મોદીના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી હતી.