Rozgar Mela: શનિવારેદેશભરમાં 44 સ્થળોએ રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું. વડાપ્રધાન આ કાર્યક્રમ સાથે વર્ચ્યુઅલ રીતે જોડાયેલા છે. આ દરમિયાન તેમણે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 70 હજારથી વધુ યુવાનોને નિમણૂક પત્રોનું વિતરણ કર્યું હતું. લોકસભા ચૂંટણી 2024 પહેલા પીએમ મોદી સતત જનતાને ભેટ આપી રહ્યા છે. આ ક્રમમાં પીએમ મોદીએ વિવિધ વિભાગો અને સંગઠનોમાં ભરતી થયેલા યુવાનોને ઓનલાઈન નિમણૂક પત્રોનું વિતરણ કર્યું છે.


આ દરમિયાન વડાપ્રધાને કાર્યક્રમને સંબોધિત કરતા કહ્યું કે, "આજનો દિવસ દેશ માટે ઐતિહાસિક દિવસ છે. યુવાનો માટે સરકારી નોકરીમાં જોડાવાની આ એક મોટી તક છે. તમારે દેશને ગૌરવ અપાવવાનું છે." તેમણે એમ પણ કહ્યું કે ભારત 9 વર્ષમાં 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે અને વિશ્વની 3જી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા જઈ રહ્યું છે.






પીએમએ કહ્યું, "નિમણૂક પત્રો મેળવનારા યુવાનો માટે આ એક યાદગાર દિવસ છે, પરંતુ તે જ સમયે તે દેશ માટે ખૂબ જ ઐતિહાસિક દિવસ પણ છે. આ દિવસે (22 જુલાઈ) 1947માં બંધારણ સભા દ્વારા ત્રિરંગાને તેના વર્તમાન સ્વરૂપમાં સ્વીકારવામાં આવ્યો હતો." તેમણે વધુમાં જણાવ્યું હતું કે આઝાદીના અમૃત મહોત્સવમાં જ્યારે દેશ વિકાસના ધ્યેય પર કામ કરી રહ્યો છે ત્યારે તમારા માટે સરકારી નોકરીમાં જોડાવાની મોટી તક છે. યુવાનોની મહેનતનું આ પરિણામ છે અને નિમણૂક પત્ર મેળવનાર તમામ યુવાનોને અભિનંદન.


ગાંધી પરિવાર પર કર્યો પ્રહાર


પીએમ મોદીએ પણ ગાંધી પરિવારનું નામ લીધા વિના તેમના પર પ્રહારો કર્યા અને કહ્યું કે દેશમાં એક સમયે ફોન બેંકિંગ કૌભાંડ થયું હતું, અગાઉની સરકારમાં એક પરિવારના લોકો બેંકોમાંથી લોન લેતા હતા. તેમણે કહ્યું કે અગાઉની સરકારે બેંકોને નુકસાન પહોંચાડ્યું અને અમે બેંકોને લૂંટનારાઓની સંપત્તિ જપ્ત કરી.


PMએ કહ્યું, ફોન બેંકિંગ એ પાછલી સરકારના સૌથી મોટા કૌભાંડોમાંથી એક છે


તેમણે કહ્યું, "9 વર્ષ પહેલા, ફોન બેંકિંગ મારા અને તમારા જેવા સામાન્ય નાગરિકો માટે નહોતું. તે સમયે, ચોક્કસ પરિવારના નજીકના કેટલાક શક્તિશાળી નેતાઓ બેંકમાં ફોન કરીને તેમના પ્રિયજનોને હજારો કરોડની લોન અપાવતા હતા. આ લોન ક્યારેય ચૂકવવામાં આવી ન હતી... આ ફોન બેંકિંગ કૌભાંડ અગાઉની સરકારના સૌથી મોટા કૌભાંડોમાંનું એક હતું."


પીએમએ વધુમાં કહ્યું કે અર્થવ્યવસ્થાના વિસ્તરણમાં આપણું બેંકિંગ ક્ષેત્ર પણ મહત્વની ભૂમિકા ભજવે છે. તેમણે કહ્યું કે આજે ભારત તે દેશોમાંનો એક છે જ્યાં બેંકિંગ સેક્ટરને સૌથી મજબૂત માનવામાં આવે છે, પરંતુ નવ વર્ષ પહેલા આવું નહોતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે સત્તાનો સ્વાર્થ રાષ્ટ્રહિત પર આધિપત્ય ધરાવે છે ત્યારે કેવો બગાડ થાય છે, તેના અનેક ઉદાહરણો દેશમાં છે. અગાઉની સરકાર દરમિયાન આપણા બેંકિંગ ક્ષેત્રે આ વિનાશનો અનુભવ કર્યો છે.


Join Our Official Telegram Channel:


https://t.me/abpasmitaofficial