Gen-Z સાથે સંવાદમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ ડૉ. મોહન ભાગવતે કહ્યું કે જો અવાજ સાંભળવામાં ન આવે તો કોઈ પણ વિરોધ કરી શકે છે. તેમણે ઉમેર્યું કે આંદોલન પણ સંવાદનું એક માધ્યમ છે. તેમણે કહ્યું, "લોકશાહીમાં વિરોધ એ સર્વસંમતિ બનાવવાનો એક માર્ગ પણ છે. ઘણા વિચારો રજૂ કરવામાં આવે છે અને સંવાદ દ્વારા સર્વસંમતિ પ્રાપ્ત થાય છે. આ વાતચીત સંવાદ દ્વારા થઈ શકે છે. જો વિવિધ કારણોસર અવાજો સાંભળવામાં ન આવે તો આંદોલન કરી શકાય છે. પરંતુ આવું સર્વસંમતિ બનાવવા માટે કરવામાં આવવું જોઈએ,  વિભાજન કરવા માટે નહીં."

Continues below advertisement

Gen-Z  ની ફરિયાદો યોગ્ય: ભાગવત

Continues below advertisement

તેમણે કહ્યું કે હાલમાં Gen-Z  દ્વારા તાજેતરમાં ઉઠાવવામાં આવેલી ફરિયાદો યોગ્ય છે. મોહન ભાગવતે કહ્યું, "ભારતની શિક્ષણ પ્રણાલીમાં ઘણું કરવાની જરૂર છે, અને આવું થઈ રહ્યું નથી, તેથી આ મુદ્દો ઉઠાવવામાં આવી રહ્યો છે. Gen-Z  વિશે મારા અનુભવ વિશે વાત કરીએ તો, જ્યારે અમે તેમની ઉંમરના હતા ત્યારે અમે વડીલોની વાત સ્વીકારતા હતા અને ક્યારેય પ્રશ્નો ઉઠાવતા નહોતા. હવે, Gen-Z  અને Gen Alpha પ્રશ્નો પૂછે છે, તેઓ તાર્કિક જવાબો અને પ્રેમ ઇચ્છે છે. લોકશાહીમાં આ જ રીત છે. તેને અંગ્રેજીમાં ડીબેટ કહે છે, અમે તેને  'શાસ્ત્રાર્થ' કહીએ છીએ - તેમાં કોઈ ચર્ચા નથી, પરંતુ બે પક્ષ હોય છે - 'પૂર્વ અને 'ઉત્તર'.

Gen Z  આંદોલન થવું જોઈએ: ભાગવત

RSS ના વડાએ કહ્યું, "આપણે બધા પાસાઓ જોઈએ છીએ અને દરેકનો પોતાનો દ્રષ્ટિકોણ હોય છે. આપણને અનેક મંતવ્યો અને વિરોધી મંતવ્યો મળે છે, જે એકસાથે સત્યનું સંપૂર્ણ ચિત્ર બનાવે છે. આ થવું જ જોઈએ. હું એમ નહીં કહું કે   Gen-Z એ  વિરોધ ન કરવો જોઈએ, પરંતુ લોકશાહીમાં વિરોધ કરવા અને કામ કરવાની ચોક્કસ રીતો છે. બંધારણના ઘડવૈયાઓએ ડૉ. બાબાસાહેબ આંબેડકરના ભાષણોમા,  તેના વિશે સંકેત આપ્યા છે. તેના પર  ધ્યાન આપવું જોઈએ."

તેમણે કહ્યું, "Gen Z વિરોધ કરવા માટે પોતાનો અવાજ ઉઠાવી રહ્યા નથી; તેઓ આમ કરી રહ્યા છે કારણ કે તેમની પાસે કેટલીક સમસ્યાઓ છે જેને સુધારવાની જરૂર છે. આંદોલન મારા કે તમારા વિરુદ્ધ નહીં, પરંતુ સિસ્ટમને સુધારવા માટે થવું જોઈએ."

પ્રદર્શનકારીઓને 'રાષ્ટ્રવિરોધી' કહેવા અંગે શું બોલ્યા મોહન ભાગવત

વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન અને પ્રદર્શનકારીઓને 'રાષ્ટ્ર વિરોધી' કહેવા અંગે RSS વડા મોહન ભાગવતે કહ્યું, "જો Gen Z  વિરોધ કરી રહ્યા છે, તો તેઓ રાષ્ટ્ર વિરોધી નથી. તેઓ આપણા પોતાના જ લોકો છે, આપણી આગામી પેઢી છે. મને નથી લાગતું કે Gen Z  એવા છે. મને લાગે છે કે નવી પેઢી, Gen Z  અને Gen Alpha આપણી વર્તમાન પેઢી કરતાં વધુ પ્રમાણિક છે. દેશભક્તિ અને સેવાની સાચી અપીલ તેમના પર અસર  કરે છે."