Coronavirus Russia: રશિયામાં જીવલેલ કોરોના વાયરસ કહેર વરસાવી રહ્યો છે. અબીં કાલે કોરોનાથી 890 લોકોના મોત થયા, આ એક દિવસમાં મોતના સૌથી વધુ કેસ છે.આ પહેલા શુક્રવારે સંક્રમણથી મોતના કેસમાં887 કેસ સામે આવ્યાં છે.કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે કામ કરતી સંસ્થા અનુસાર સંક્રમણના નવા 25,769 કેસ સામે આવ્યાં છે.


લોકડાઉન લગાવવાની યોજના નથી


આંકડાં મુજબ રશિયામાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના 14.6 કરોડ કેસ સામે આવ્યાં છે અને સંક્રમણથી લગભગ 2 લાખ 10 હજાર લોકોના મોત થયા છે. દેશમાં સતત કોરોનાના કેસ અને  વધી રહેલા મોતના આંકડાની વચ્ચે લોકડાઉનની કોઇ યોજના ન હોવાની સ્પષ્ટતા કરી છે.


દેશમાં લગાવવામાં આવી રહ્યું છે સ્પુતનિક વી વેક્સિન


રશિયામાં કોવિડ સામે રક્ષણ મેળવવા માટે સ્પુતનિક વી વેક્સિન આપવામાં આવી રહી છે. દેશમાં અત્યાર સુધીમાં 32.5 ટકા લોકોને પહેલો વેક્સિનનો ડોઝ આપી દેવાયો છે. જ્યારે 28ટકા લોકોને બંને ડોઝ આપવામાં આવી છે.


યૂકેમાં કોરોના વાયરસના 35577 નવા કેસ


તો બ્રિટનમાં ગત 24 કલાકમાં 35577  લોકો સંક્રમિત થયા છે. જેના કારણે દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 7,841,625 થઇ ગઇ છે. બ્રિટનમાં હવે કોરોના વાયરસથી થનાર મોતની કુલ સંખ્યા વધીને 136,789 થઇ ગઇ છે. આ આંકડામાં કુલ એવા લોકોના મોત સામેલ છે. જેના  મોત પહેલા પોઝિટિવ પરિક્ષણના 28 દિવસ બાદ થઇ હતી.


ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ


દેશમાં જીવલેણ કોરોના વાયરસના મામલા ઘટ્યા બાદ ફરીથી વધ્યા છે. સોમવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 20,799 નવા કેસ અને 180  સંક્રમિતોના મોત થયા છે. જ્યારે 26,718 લોકોએ કોરોનાને મ્હાત આપી છે.  એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 2,64,458 પર પહોંચી છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કુલ કેસ પૈકી કેરળમાં જ 12,297 નવા કેસ નોંધાયા હતા અને 74 લોકોના મોત થયા હતા. આમ કેરળની સ્થિતિ હજુ પણ ચિંતાજનક છે.  


છેલ્લા 3 દિવસમાં નોંધાયેલા કેસ



  • 1 ઓક્ટોબરઃ 26,727

  • 2 ઓક્ટોબરઃ 24,534

  • 3 ઓક્ટોબરઃ 22,842


દેશમાં કોરોનાની શું છે સ્થિતિ



  • કુલ ડિસ્ચાર્જઃ 3 કરોડ 31 લાખ 21 હજાર 247

  • કુલ એક્ટિવ કેસઃ 2 લાખ 64 હજાર 458

  • કુલ મોતઃ 4 લાખ 48 હજાર 997


દેશમાં કેટલા લોકોને અપાઈ રસી


દેશમાં અત્યાર સુધીમાં 90,79,32,861 લોકોને કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશના બધા જ પુખ્ત વયના લોકોને રસીનો પ્રથમ ડોઝ આપી દેવાયો હોય તેમાં સિક્કિમ, હિમાચલ પ્રદેશ, ગોવા, દાદરા અને નગર હવેલી, લદાખ અને લક્ષદ્વીપનો સમાવેશ થાય છે.  લાન્સેટ પત્રિકા દ્વારા જારી એક સ્ટડીમાં દાવો કરાયો છે કે હાલની સિૃથતિ મુજબ લોકોને કોરોનાની રસીનો બુસ્ટર ડોઝ આપવાની જરૂર નથી. કેમ કે જે ડોઝ અપાયો છે તેની ઘણી સારી અસર જોવા મળી રહી છે. રસી હાલ ડેલ્ટા કે આલ્ફા  વેરિઅન્ટમાં પણ અસરકારક સાબિત થઇ રહી છે એવામાં કોવિન વેક્સિન બૂસ્ટર્સ આપવાની હાલ જરૂર નથી.