સામનાના કાર્યકારી સંપાદક અને શિવેસેના સાંસદ સંજય રાઉતે લખ્યું, 'કૉંગ્રેસ અને રાષ્ટ્રવાદી આ બંને પ્રમુખ પાર્ટીઓએ મળીને 100નો આંકડો પાર કર્યો છે. જેનો તમામ શ્રેય શરદ પવારને જાય છે. વર્ષ 2014માં ભારતીય જનતા પાર્ટીનો અશ્વ રોકવાનું કામ ઉદ્ધવ ઠાકરેએ કર્યું હતું. વર્ષ 2019માં આ કામ શરદ પવારે કર્યું છે. આ મહારાષ્ટ્રની વિશેષતા છે.'
શિવસેનાએ ચૂંટણી પરિણામના આગામી દિવસે 25 ઓક્ટોબરે પણ શરદ પવારના વખાણ કર્યા હતા. મહારાષ્ટ્રમાં એ સવાલ પર પણ ચર્ચા છે કે એનસીપી સરકાર બનાવવા માટે શિવસેનાને સાથ આપશે અને કૉંગ્રેસ તેને બહારથી સમર્થન આપી બહુમત સુધી પહોંચાડશે ? પરંતુ શરદ પવાર શિવસેનાને સમર્થન આપવાથી ઈનકાર કરી ચૂક્યા છે. શનિવારે તેમણે કહ્યું જનતાએ તેમને વિપક્ષમાં બેસવા માટે બહુમત આપ્યો છે.