Patel's Birth Anniversary: સરદારે એક ભારત, શ્રેષ્ઠ ભારતની ભાવનાને સમૃદ્ધ કરી- પીએમ મોદી

Patel's Birth Anniversary: રાષ્ટ્રીય એકતાના પ્રતિક સરદાર વલ્લભભાઇ પટેલજીની જયંતીના અવસર પર આજે આખા દેશમાં 'રાષ્ટ્રીય એકતા દિવસ' મનાવવામાં આવી રહ્યો છે.

gujarati.abplive.com Last Updated: 31 Oct 2021 11:08 AM

બ્રેકગ્રાઉન્ડ

Patel's Birth Anniversary: રાષ્ટ્રીય એકતાના પ્રતિક સરદાર વલ્લભભાઇ પટેલજીની જયંતીના અવસર પર આજે આખા દેશમાં 'રાષ્ટ્રીય એકતા દિવસ' મનાવવામાં આવી રહ્યો છે....More

સરદાર નવા રાષ્ટ્રના નાયક- પીએમ મોદી

વડાપ્રધાન મોદીએ કહ્યું કે એક ભારત, શ્રેષ્ઠ ભારત માટે જેણે જીવનની  તમામ ક્ષણ સમર્પિત કરી. એવા રાષ્ટ્ર નાયક સરદાર વલ્લભભાઇ પટેલને આજે દેશ પોતાની શ્રદ્ધાંજલિ આપી રહ્યો છે. સરદાર પટેલજી ફક્ત ઇતિહાસમાં જ નહી પણ દેશવાસીઓના હૃદયમાં છે. તેઓએ કહ્યું કે આજે દેશભરમાં એકતાનો સંદેશ લઇને આગળ વધી રહેલા આપણા ઉર્જાવાન સાથી, ભારતની અખંડતા પ્રત્યે, અખંડ ભાવના પ્રતિક છે. આ ભાવના દેશના ખૂણે ખૂણામાં છે. રાષ્ટ્રીય એકતા પરેડમાં થઇ રહેલા આયોજનોમાં દેખાઇ રહ્યું છે. સેંકડો વર્ષોથી ભારતના  સમાજ, પરંપરાઓથી લોકતંત્રના પાયાઓ મજબૂતાઇથી વિકસિત થયા છે તેણે એક ભારતની ભાવનાને સમૃદ્ધ કરી છે.