રેલવેએ સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે, દિલ્હી એનસીઆરમાં 140 કિલોમીટર લાંબી રેલવે લાઈનની સાથે ઝૂપડાવાસીઓનું દબાણ છે. જેમાં 70 કિલોમીટર લાઈનની સાથે આશરે 48000 ઝૂપડાઓ આવેલા છે. રેલવેએ કહ્યું કે, એનજીટીએ ઓક્ટોબર 2018માં ઝૂંપડા હટાવવા સ્પેશિયલ ટાસ્ક ફોર્સની રચના કરવાનો આદેશ આપ્યો હતો. પરંતુ રાજકીય કારણોસર રેલવે લાઈન આસપાસથી દબાણ હટાવી શકાયું નથી.
રેલવેએ કહ્યું, આમાંથી ઘણા દબાણ રેલવેના સુરક્ષા ઝોનમાં છે. જે ઘણું ચિંતાજનક છે. સુપ્રીમ કોર્ટે આદેશમાં કહ્યું કે, ઝૂંપડા હટાવવા આયોજનબદધ કામ કરવામાં આવે. રેલવે સુરક્ષા ઝોનમાં સૌથી પહેલા દબાણ દૂર કરવામાં આવે, આ માટે ત્રણ મહિનાનો સમય આપવામાં આવ્યો છે.
સુપ્રીમ કોર્ટે ભારપૂર્વક કહ્યું કે, રેલવે લાઈનની આસપાસ દબાણ દૂર કરવામાં કોઈપણ રાજકીય દબાણ કે દખલગીરીને ચલાવી લેવામાં આવશે નહીં.