નંદુરબાર: મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના શહાદા તાલુકાના વડશીલ ગામમાં ગણેશોત્સવ દરમિયાન દુખદ ઘટના સર્જાઈ હતી. ગણેશ વિસર્જન દરમિયાન 6 યુવકોના તળાવમાં ડૂબી જવાથી મોત નીપજ્યાં હતાં. શુક્રવારે જ્યારે પાંચમા દિવસે ગણપતિ વિસર્જન ગામના એક તળાવમાં કરવામાં આવી રહ્યું હતું ત્યારે આ ઘટના બની હતી. આ ઘટનાને પગલે ગામમાં શોક મોજુ ફરી વળ્યું હતું.


જાણકારી મળ્યા બાદ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને છ યુવકોના મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યાં હતાં. પ્રત્યક્ષદર્શીઓ અનુસાર આ તમામ યુવકો ગણપતિ બપ્પાના વિસર્જન માટે તળાવમાં ઉતર્યા હતા, ઊંડા પાણીનો અંદાજો ન હોવાના કારણે ડૂબી ગયા હતા. આ તમામ યુવકોને તરતા પણ આવડું ન હોવાથી બચાવવામાં પણ મુશ્કેલી થઈ હતી.