Srinagar Encounter: જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. શ્રીનગરમાં બે અલગ-અલગ એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા છે. જમ્મુ અને કાશ્મીર પોલીસના જણાવ્યા અનુસાર, શ્રીનગરની બહારના વિસ્તાર  હરવનમાં લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા એક ખતરનાક આતંકવાદીને ઠાર કરવામાં આવ્યો હતો. એક અઠવાડિયામાં આ જ વિસ્તારમાં આ બીજુ એન્કાઉન્ટર છે. કાશ્મીરના પોલીસ મહાનિરીક્ષક વિજય કુમારે એક ટ્વિટમાં માર્યા ગયેલા આતંકવાદીની ઓળખ સલીમ પરે તરીકે કરી હતી, જે લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલો હતો.


 







ટ્વીટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે અન્ય એક વિદેશી આતંકવાદી પણ માર્યો ગયો છે. જોકે, બાદમાં માત્ર સલીમની જ હત્યા થઈ હોવાનું કહેવાય છે. સૂત્રોએ જણાવ્યું કે પાકિસ્તાની આતંકવાદી ભાગવામાં સફળ થયો છે પરંતુ તેને પકડવા માટે વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ છે. 


હરવન બાદ શ્રીનગરના ગૌસામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું. પોલીસ અને CRPFની સંયુક્ત ટીમે એક આતંકવાદીને ઠાર માર્યો હતો. પોલીસે જણાવ્યું કે ઘટનાસ્થળેથી દારૂગોળો મળી આવ્યો છે. સર્ચ ઓપરેશન હજુ ચાલુ છે.


જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ વિરુદ્ધ સતત ઓપરેશન ચાલી રહ્યું છે. 31 ડિસેમ્બરે પણ શ્રીનગરમાં જૈશ-એ-મોહમ્મદના ત્રણ આતંકવાદીઓને સુરક્ષા દળોએ ઠાર માર્યા હતા. આ પહેલા 30 ડિસેમ્બરે દક્ષિણ કાશ્મીરમાં બે એન્કાઉન્ટરમાં બે પાકિસ્તાની નાગરિકો સહિત છ આતંકવાદીઓ માર્યા ગયા હતા.


આ પણ વાંચો......... 


ગુજરાતમાં ફરી કમોસમી વરસાદની આગાહી, જાણો કઈ તારીખે ક્યાં ક્યાં પડશે વરસાદ ? અમદાવાદમાં ક્યારથી ફરી ઠંડી પડશે ?


SBI Recruitment: એસબીઆઈમાં અનેક જગ્યાઓ માટે ભરતી બહાર પડી, આ તક ચૂકશો નહીં, આજે જ કરો અરજી


CBSE રજિસ્ટ્રેશનઃ ધોરણ-9 અને 11ના વિદ્યાર્થીઓ 6 જાન્યુઆરી સુધી રજિસ્ટ્રેશન કરાવી શકશે, ત્યાર બાદ લેટ ફી ચૂકવવી પડશે


વિરાટ કોહલી પત્રકાર પરિષદમાં કેમ નથી આવતો, રાહુલ દ્રવિડે આપ્યો આ જવાબ


Astrology: આ રત્ન છે અદભૂત ચમત્કારિક, , ઘારણ કર્યાના 30 દિવસ બાદ મળશે અભૂતપૂર્વ સફળતા, જાણો કઇ રાશિએ પહેરવું