નવી દિલ્હીઃ આસારામને સુપ્રીમ કોર્ટે હાલમાં કોઈ રાહત ન આપી. સુપ્રીમ કોર્ટે આસારામની વચગાળાની જામીન અરજીને ફગાવી દીધી છે. આસારામના વકીલે આસારામના ખરાબ સ્વાસ્થ્યને લઈને એક મહિનાના વચગાલાના જામીન આપવા અરજી કરી હતી.


આ અંગે કોર્ટે એમ્સના ડોક્ટરોનું મેડિકલ બોર્ડ બનાવ્યું હતું. બોર્ડના અહેવાલને જોયા બાદ કોર્ટે વચગાળાના જામીન આપવાની ના પાડી દીધી. ઉપરાંત કોર્ટે કાયમી જામીન માગવા પર ગુજરાત સરકારને નોટિસ ફટકારી છે.