Supreme Court On Haryana Election: સુપ્રીમ કોર્ટે હરિયાણાની 20 વિધાનસભા બેઠકો પર ફરીથી ચૂંટણી કરાવવાની માંગ કરતી અરજીને ફગાવી દીધી છે. કોંગ્રેસ દ્વારા આ અરજી દાખલ કરવામાં આવી હતી જેમાં ઈવીએમને લઈને સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. CJI એ કડક સ્વરમાં કહ્યું, કેવા પ્રકારની અરજીઓ દાખલ કરવામાં આવે છે?


અરજદારના વકીલે કહ્યું કે, મતગણતરીનાં દિવસે ઘણા EVM મશીનોની બેટરી ઓછી ચાર્જ થઈ હતી. આ પહેલા આ જ અરજી કરતાને કોર્ટે હરિયાણામાં શપથ ગ્રહણ બંધ કરવાની માંગ કરવા માટે  ઠપકો આપ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે આવી માંગ માટે દંડ વસૂલવો જોઈએ.


'તમે શપથ લેવાનું બંધ કરાવવા માંગો છો?'


ચીફ જસ્ટિસ (CJI) DY ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચે અરજી પર વાંધો ઉઠાવતા અરજદારને કહ્યું, "તમે ઈચ્છો છો કે અમે ચૂંટાયેલી સરકારના શપથ ગ્રહણને અટકાવીએ? તમે અમારી દેખરેખ હેઠળ છો, "અમે દંડ ફટકારીશું.


કોંગ્રેસે ચૂંટણી પંચને ફરિયાદ કરી છે


હરિયાણાની ચૂંટણી બાદ કોંગ્રેસે 20 વિધાનસભા મતવિસ્તારોમાંથી ચૂંટણી પંચને EVMમાં ગેરરીતિનો આરોપ લગાવીને ફરિયાદ કરી છે. કોંગ્રેસનો દાવો છે કે મતગણતરી દરમિયાન કેટલાક ઈવીએમની બેટરી 99 ટકા ચાર્જ થઈ ગઈ હતી, જે શંકાસ્પદ છે. પાર્ટીએ કહ્યું કે સાત વિધાનસભા મતવિસ્તારોમાંથી ફરિયાદો મળી છે અને 13 વધારાના મુદ્દાઓ પણ પંચ સમક્ષ મૂકવામાં આવ્યા છે. કોંગ્રેસના મતે ઈવીએમની બેટરી ક્ષમતા સંબંધિત સમસ્યાઓ મતગણતરી પ્રક્રિયાને અસર કરી શકે છે.


શું કહ્યું જયરામ રમેશે?


કોંગ્રેસના નેતા જયરામ રમેશે X પર એક પોસ્ટ લખી હતી કે, ચૂંટણી પ્રક્રિયામાં ગંભીર ગેરરીતિઓ જોવા મળી છે, જેની તપાસ કરવાની જરૂર છે. નારનૌલ, કરનાલ, ડબવાલી, રેવાડી, હોડલ (અનામત), કાલકા, પાણીપત શહેર, ઈન્દ્રી, બડખલ, ફરીદાબાદ એનઆઈટી, નલવા, રાનિયા, પટૌડી (અનામત), પલવલ, બલ્લભગઢ, બરવાલા, ઉચાના કલાં, ઘરૌંડા, કોસલી અને બાદશાહપુર વિધાનસભા મતવિસ્તારમાં કોંગ્રેસના ઉમેદવારો તરફથી ફરિયાદો આવી છે. તમને જણાવી દઈએ કે, આ પહેલીવાર નથી જ્યાકે વિપક્ષ દ્વારા ઈવીએમ અંગે સવાલો ઉઠાવવામાં આવ્યા હોય. આ પહેલા પણ ઈવીએમ અંગે સવાલો ઉઠાવવામાં આવી ચુક્યા છે. જોકે, ચૂંટણી પંચે હર વખતે તમામ આરોપોને નકારી કાઢ્યા છે.


આ પણ વાંચો...


ફરી ટ્રેન દુર્ઘટના, અગરતલા લોકમાન્ય તિલક ટર્મિનસના 8 ડબ્બા પાટા પરથી ઉતર્યા, હેલ્પલાઈન નંબર જાહેર