Supreme Court : સુપ્રીમ કોર્ટે ભાજપ પર લાગેલો એક લાખ રૂપિયાના દંડનો નિર્ણય પરત લીધો, જાણો શું છે સમગ્ર કેસ?

ઓગસ્ટ 2021માં સુપ્રીમ કોર્ટે ભાજપ સહિત 8 પક્ષોને દંડ ફટકાર્યો હતો

Continues below advertisement

Supreme Court Recalls BJP Fine: ભાજપને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. બિહાર વિધાનસભા ચૂંટણી 2020માં ઉમેદવારોના ગુનાહિત ઈતિહાસને સાર્વજનિક ન કરવા બદલ તિરસ્કારના દોષિત ઉમેદવારો પર એક લાખ રૂપિયાનો દંડ ફટકારવાનો નિર્ણય કોર્ટે પાછો ખેંચી લીધો છે. ભાજપના મહાસચિવ બીએલ સંતોષ દ્વારા દાખલ કરવામાં આવેલી પુનઃવિચાર અરજી પર કોર્ટે સ્વીકાર્યું કે પાર્ટીએ જાણીજોઈને તેના આદેશનો અનાદર કર્યો નથી.

Continues below advertisement

ઓગસ્ટ 2021માં સુપ્રીમ કોર્ટે ભાજપ સહિત 8 પક્ષોને દંડ ફટકાર્યો હતો. ભાજપ ઉપરાંત અન્ય સાત પક્ષોને પણ કોર્ટના અનાદર બદલ સજા કરવામાં આવી હતી. જેમાં CPI(M) અને NCP પર પાંચ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો જ્યારે કોંગ્રેસ, RJD, JDU, CPI અને LJP પર એક લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

ભાજપ પર શા માટે દંડ ફટકારવામાં આવ્યો

કોર્ટે ગુનાહિત ભૂતકાળ ધરાવતા ઉમેદવારોની પસંદગી શા માટે કરવામાં આવી તેના પર દંડ લાદ્યો અને આ સિવાય પક્ષે કલંકિત ઉમેદવારોના ગુનાહિત ભૂતકાળને પણ સાર્વજનિક કરવાનો હતો. આ કારણસર ભાજપ પર એક લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. પાર્ટીના મહાસચિવ બીએલ સંતોષે કોર્ટમાં સમીક્ષા અરજી દાખલ કરી હતી.

'ઇરાદાપૂર્વક કોર્ટના આદેશનો ભંગ નહીં'

ભાજપના મહાસચિવની અરજી પર સુનાવણી કરતા જસ્ટિસ દિનેશ માહેશ્વરી અને જસ્ટિસ બીઆર ગવઈની બેન્ચે કહ્યું હતું કે, "કોર્ટના આદેશનો ઇરાદાપૂર્વક અનાદર કરવામાં આવ્યો ન હતો." બેન્ચે રિવ્યુ પિટિશનમાં ભારતના ચૂંટણી પંચને વધારાના પ્રતિવાદી તરીકે ઉમેર્યું હતું અને તેને નોટિસ જાહેર કરી હતી. એટલું જ નહીં, બેન્ચે એમિકસ ક્યુરીના વી વિશ્વનાથનને પણ મદદ કરવા કહ્યું હતું.

ઓર્ડર 2020 માં જાહેર કરવામાં આવ્યો હતો

નોંધનીય છે કે ફેબ્રુઆરી 2020માં રાજનીતિના અપરાધીકરણને રોકવા માટે સુપ્રીમ કોર્ટે તમામ રાજકીય પક્ષોને લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં તેમના ઉમેદવારોની પસંદગીના 48 કલાકની અંદર અથવા નોમિનેશનના બે અઠવાડિયાની અંદર, જે પણ વહેલું હોય તે જાહેર કરવાનો નિર્દેશ આપ્યો હતો. તેમની સામે પડતર ફોજદારી કેસોની વિગતોને વ્યાપકપણે જાહેર કરવા પડશે.

Nagaland Exit poll : નાગાલેન્ડમાં યે BJPની બલ્લે બલ્લે! NDPP સાથે મળી કરશે 'રાજ'!!!

Nagaland Exit Poll 2023 : આ મહિને ઉત્તર પૂર્વના ત્રણ રાજ્યોમાં ચૂંટણી માટે મતદાન થયું હતું. જેમાં ત્રિપુરામાં 16 ફેબ્રુઆરીએ મતદાન થયું હતું. ત્યાર બાદ  27 ફેબ્રુઆરીએ અન્ય બે રાજ્યો મેઘાલય અને નાગાલેન્ડમાં મતદાન થયું હતું. આ ત્રણ રાજ્યોમાં થયેલા મતદાનના આજે એક્ઝિટ પોલ સામે આવ્યા હતાં. એક્ઝિટ પોલ મુજબ નાગાલેન્ડમાં ભાજપ અને NDPPની જીત થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 

નાગાલેન્ડમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન બાદ આવેલા એક્ઝિટ પોલમાં ભાજપ-એનડીપીપી ગઠબંધનને બહુમતી મળતી દેખાઈ રહી છે. ઝી મેટ્રિઝ અનુસાર, નાગાલેન્ડમાં પણ ભાજપ સત્તામાં પરત ફરશે. 'ઝી ન્યૂઝ-મેટ્રિક્સ'ના એક્ઝિટ પોલ અનુસાર, નાગાલેન્ડમાં બીજેપી-એનડીપીપી ગઠબંધન 35 થી 43 બેઠકો જીતવાની ધારણા છે. આ સર્વે અનુસાર 60 સીટોવાળી નાગાલેન્ડ વિધાનસભામાં કોંગ્રેસની હાલત દયનીય બની રહી હોવાની દર્શાવવામાં આવી રહી છે. કોંગ્રેસ ડબલ આંકડાની બહાર પણ દેખાઈ રહી છે અને કોંગ્રેસ માત્ર 1 થી 3 બેઠકો જીતશે તેવો અંદાજ છે. તો અન્ય બે પક્ષોમાં એનપીપીને શૂન્યથી એક બેઠક અને એનપીએફને 2થી 5 બેઠકો મળવાની ધારણા છે

Continues below advertisement
Sponsored Links by Taboola