આ બિલમાં રાષ્ટ્રીય અને રાજ્ય સરોગેસી બોર્ડનું ગઠન કરવાની વાત પણ કરવામાં આવી છે. તે સિવાય સરોગેસીના નિયમન માટે અધિકારીઓની નિયુક્તિ પણ કરવામાં આવશે. સરોગેસી બિલ માટે એવા દંપતીઓને જ સરોગેસીની અનુમતિ આપશે જે માતા પિતા બનાવા અસક્ષમ હોય અને ગર્ભધારણ કરી ન શકતા હોય તેવા. બિલ પ્રમાણે સરોગેસી માટે ઇચ્છુક વ્યક્તિઓએ ભારતીય હોવું જરૂરી છે. અને લગ્નના ઓછામાં ઓછા પાંચ વર્ષ થયેલા હોવા જોઈએ. તે સિવાય દંપતિમાંથી કોઈએ પણ એક વ્યક્તિએ સાબિત કરવું પડશે કે તે બાળક પેદા કરવાની સ્થિતિમાં નથી.
કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી નડ્ડાએ કહ્યું કે વ્યાવસાયિક રીતે સરોગેસી માટે ભારતને એક મોટું કેન્દ્ર માનવામાં આવે છે. આ ધારણાને બદલવાની જરૂર છે. બિલ લાવવાનો ઉદ્દેશ્યો ભારતીય મહિલાઓને પીડાથી બચાવવાનું છે.