સુશાંત કેસમાં નવા ડ્રગ્સ એન્ગલની તપાસ CBIએ પણ કરવી જોઈએ: રામદાસ અઠાવલે
એબીપી અસ્મિતા વેબ ટીમ | 26 Sep 2020 05:46 PM (IST)
અઠાવલેએ કહ્યું કે, “આપણે ડ્રગ્સના ખતરાને ખતમ કરવા અને તેના સ્મગલિંગ પર અંકુશ લગાવવાની જરૂર છે. એનસીબીએ તેની તપાસ કરવી જોઈએ. પરંતુ સીબીઆઈએ પણ જલ્દીજ તેને નિષ્કર્ષ કાઢવું જોઈએ અને સુશાંતના મોત સાથે જોડાયેલા નવા ડ્રગ એન્ગલની તપાસ કરવી જોઈએ.”
નવી દિલ્હી: કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલે માંગ કરી છે કે, દિવંગત સુશાંત સિંહ રાજપૂતાન મોત કેસ સાથે જોડાયેલા ડ્રગ્સ કેસની તપાસ સીબીઆઈએ પણ કરવી જોઈએ. અઠાવલે કહ્યું કે, ડ્રગ્સના ખતરા અને તેના સ્મગલિંગ પર નિયંત્રણ હોવું જ જોઈએ. તેની સાથે જ તેમણે દિશા સાલિયાન મોત કેસની તપાસ પણ સીબીઆઈ દ્વારા કરવાની માંગ કરી છે. અઠાવલેએ કહ્યું કે, “આપણે ડ્રગ્સના ખતરાને ખતમ કરવા અને તેના સ્મગલિંગ પર અંકુશ લગાવવાની જરૂર છે. એનસીબીએ તેની તપાસ કરવી જોઈએ. પરંતુ સીબીઆઈએ પણ જલ્દીજ તેને નિષ્કર્ષ કાઢવું જોઈએ અને સુશાંતના મોત સાથે જોડાયેલા નવા ડ્રગ એન્ગલની તપાસ કરવી જોઈએ.” કેન્દ્રીય મંત્રી દિશા સાલિયાનના મોત પર કહ્યું કે, સાંભળ્યું છે કે, સુશાંત સિંહની મેનેજર દિશા સાલિયનને આઠ જૂને પોતાના ઘરે એક પાર્ટી દરમિયાન પોતાના બેડરુમમાં કેટલી યાતનાઓમાંથી પસાર થવું પડ્યું. તેથી સીબીઆઈને તેમના મોતની તપાસ કરવી જોઈએ અને જલ્દી જ નિષ્કર્ષ કાઢવો જોઈએ. ઉલ્લેખનીય 8 જૂને દિશા સાલિયાને તેમના એપાર્ટમેન્ટના 14માં માળ પરથી કૂદીને આત્મહત્યા કરી હતી. દિશા સાલિયાન, સુશાંત સિંહ રાજપૂતની પૂર્વ મેનેજર હતી. તેના બાદ 14 સુશાંતનો મૃતદેહ બ્રાંદ્રા સ્થિત પોતાના ફ્લેટમાં ફાંસીથી લટકેલી હાલતમાં મળી આવ્યો હતો. કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ