સુષ્મા સ્વરાજે આ વાત એક ટ્વિટર યુઝરના સવાલના જવાબમાં આપી હતી. એક સવાલમાં તેમને પૂછવામાં આવ્યું કે, એક વિદેશ મંત્રી અને સૌથી સમજદાર બીજેપી નેતા હોવા છતાં પણ માઇક્રોબ્લોગિંગ સાઇટ પર પોતાની નામની સાથે ચોકીદાર શબ્દ કેમ જોડ્યો છે. જેના જવાબમાં સુષ્મા સ્વરાજે ટ્વિટ કરી જણાવ્યું કે, વિદેશમાં ભારતીય હિતો અને ભારતીય નાગરિકોની ચોકીદારી કરી રહી છું એટલા માટે ચોકીદાર શબ્દ લખ્યો છે.
કોગ્રેસ દ્ધારા ચોકીદાર ચોર હૈના નારા સામે વડાપ્રધાન મોદીએ ‘મેં ભી ચોકીદાર’ અભિયાન શરૂ કર્યું છે. બાદમાં ભાજપના તમામ નેતાઓએ ટ્વિટર હેન્ડલ પર પોતાના નામની આગળ ચોકીદાર શબ્દ જોડ્યો હતો.