પંજાબ: પઠાણકોટમાં ફરીથી સંદિગ્ધો દેખાયા હોવાની માહિતી સામે આવી છે. છેલ્લા ઘણા સમયથી પઠાણકોટ અને ઉરી જેવા આતંકી હુમલાને લઇને પાકિસ્તાન અને ભારત વચ્ચે તણાવભરી સ્થિતિ છે. ત્યારે પઠાણકોટમાં ફરી સંદિગ્ધો દેખાયા હોવાની માહિતી સામે આવી છે. ઘટનાને લઇને પોલીસે સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે. આ પહેલા પણ મુંબઇની પાસે આવેલા 4 સંદિગ્ધો દેખાયા હોવાની વાત સામે આવતા સમગ્ર વિસ્તારમાં સેના અને પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું.


સર્ચ ઑપરેશનમાં સેનાને અમુક સામાન મળી આવ્યો છે. તેમાં બેલ્ટ, કેપ, ટાઈનો સમાવેશ થાય છે. પંજાબ પોલીસનનું હાલ ત્યાં સર્ચ ઑપરેશન ચાલુ છે. વિસ્તારમાં રેડ અલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.