Tirupati Laddu Controversy: તિરુપતિ મંદિરના પ્રસાદ બનાવવામાં વપરાતા ઘીમાં પ્રાણીઓની ચરબીના ઉપયોગને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે એક ભક્તે મોટો દાવો કર્યો છે. તેલંગાણાના ખમ્મમ જિલ્લાના એક ભક્તે આંધ્રપ્રદેશના શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિર (તિરુપતિ મંદિર)ના પ્રસાદ અંગે ચિંતા વ્યક્ત કરી છે.


 તેમણે કહ્યું કે, જે પ્રસાદ તે ઘરે લઇ ગયા હતા તેમાં તમાકુ કાગળમાં વીંટાળેલી મળી આવ્યું હતું. ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ, ગોલ્લાગુડુમ પંચાયતની રહેવાસી ડોન્ટુ પદ્માવતીએ દાવો કર્યો છે કે જ્યારે તે 19 સપ્ટેમ્બરે તિરુપતિ મંદિરમાં જઈને ઘરે પરત ફર્યા અને પ્રસાદ ખોલ્યો તો તેને તેમાં તમાકુના ટુકડા મળ્યા.


 આસ્થા પર આઘાત


ભગવાન શ્રી વેંકટેશ્વર સ્વામીના પ્રસાદમાં તમાકુ મળી આવવાના દાવાથી ભક્તોની આસ્થા પણ આઘાત લાગ્યો છે.  . પ્રસાદ માટે બનાવવામાં આવતા લાડુ માટે ઘીમાં ચરબીના ઉપયોગને લઈને પહેલેથી જ હોબાળો ચાલી રહ્યો છે. મહિલા ભક્તે કહ્યું કે પ્રસાદ પવિત્ર છે, તેમાં આવો બગાડ દિલ તોડી નાખે છે.


કંપની સામે મોદી સરકારની મોટી કાર્યવાહી


તાજેતરના દાવાઓ પછી, મંદિરના સંચાલન માટે જવાબદાર ટ્રસ્ટ તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD) દ્વારા લેવામાં આવતા ગુણવત્તા નિયંત્રણના પગલાં પર પ્રશ્નાર્થ ચિહ્નો ઉભા થઈ રહ્યા છે. તિરુપતિમાં લાડુમાં ભેળસેળના આરોપોને પગલે, FSSAI એ તમિલનાડુ સ્થિત એક કંપનીને તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમને કથિત રીતે ખરાબ પે ઘી સપ્લાય કરવા બદલ કારણ બતાવો નોટિસ જાહેર કરી છે.


વિશ્વ હિન્દુ પરિષદે સુપ્રીમ કોર્ટ પાસે કરી મોટી માંગ


વિશ્વ હિન્દુ પરિષદ (VHP) એ સુપ્રીમ કોર્ટને તિરુપતિ લાડુમાં જાનવરોની ચરબીના મુદ્દા પર સ્વતઃ સંજ્ઞાન લેવા અને દોષિતોને શોધવા માટે તપાસ શરૂ કરવા અપીલ કરી હતી. આંધ્રપ્રદેશના સીએમ ચંદ્રબાબુ નાયડુએ તાજેતરમાં આરોપ લગાવ્યો હતો કે રાજ્યની અગાઉની વાયએસઆરસીપી સરકાર શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરમાં લાડુ બનાવવા માટે પશુ ચરબીવાળા ઘીનો ઉપયોગ કરતી હતી.                                                 


આ પણ વાંચો


Tirupati Laddu Controversy: તિરુપતિ મંદિરમાં ઘી સપ્લાય કરતી કંપનીના બધા અધિકારીઓ મુસ્લિમ! મોટો દાવો, જાણો સત્ય