Telangana Elections 2023 Live Updates : તેલંગણામાં 11 વાગ્યા સુધી 20 ટકાથી વધુ મતદાન, કે.કવિતા વિરુદ્ધ કેસ દાખલ

Telangana Election 2023: સમગ્ર રાજ્યમાં 35,655 મતદાન મથકો બનાવવામાં આવ્યા છે જ્યાં કુલ 3.26 કરોડ નોંધાયેલા મતદારો છે.

gujarati.abplive.com Last Updated: 30 Nov 2023 02:00 PM
એક્ટર વિજયે પણ મતદાન કર્યું હતુ

તેલુગુ સ્ટાર જગપતિ બાબુએ મતદાન કર્યું હતુ

Telangana Assembly Elections: કે કવિતા સામે કેસ દાખલ

BRS એમએલસી કે. કવિતા વિરુદ્ધ લોક પ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 130 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ અંતર્ગત મતદાન મથકો કે તેની આસપાસ પ્રચાર કરવા પર પ્રતિબંધ છે. આરોપ છે કે આજે હૈદરાબાદમાં પોતાનો મત આપ્યા બાદ કવિતાએ આ નિયમનો ભંગ કર્યો અને મીડિયાને સંબોધન કર્યું હતું

AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ હૈદરાબાદમાં કર્યું મતદાન

Telangana Assembly Elections:અભિનેતા ચિરંજીવી તેમના પરિવાર સાથે મતદાન કરવા પહોંચ્યા

અભિનેતા ચિરંજીવી અને તેમના પરિવાર સાથે  હૈદરાબાદના જ્યુબલી હિલ્સમાં મતદાન મથક પર મતદાન કરવા પહોંચ્યા છે.





સાઉથ સ્ટાર જૂનિયર એનટીઆરે પણ પરિવાર સાથે મતદાન કર્યું હતું

અલ્લુ અર્જુને હૈદરાબાદમાં મતદાન કર્યું

બીઆરએસ નેતા કે કવિતાએ હૈદરાબાદમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુને પણ હૈદરાબાદના જ્યુબલી હિલ્સમાં પોતાનો મત આપ્યો હતો. આ દરમિયાન અલ્લુ અર્જુન લાઇનમાં ઊભો જોવા મળ્યો હતો.













પીએમ મોદીએ શું કરી અપીલ

તેલંગણામાં મતદાન શરૂ થતાની સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે હું તેલંગણાની મારી બહેનો અને ભાઈઓને રેકોર્ડ વોટિંગ માટે અપીલ કરું છું. તેમણે વધુમાં કહ્યું કે, હું પહેલીવાર મતદાન કરતા મતદારોને પણ તેમના મતદાન અધિકારનો ઉપયોગ કરવાની અપીલ કરું છું.

3.26 કરોડ મતદારો મતદાન કરશે

તેલંગણા વિધાનસભા ચૂંટણીમાં 3.26 કરોડ મતદારો તેમના મતનો ઉપયોગ કરશે. રાજ્યભરમાં 35,655 મતદાન મથકો બનાવવામાં આવ્યા છે. લગભગ 2.5 લાખ કર્મચારીઓને ચૂંટણી ફરજ માટે તૈનાત કરવામાં આવ્યા છે.





2,290 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે

તેલંગણાની આ ચૂંટણીમાં 2,290 ઉમેદવારો મેદાનમાં છે. BRSએ તમામ 119 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે. ભાજપ અને પવન કલ્યાણની જનસેના ગઠબંધન કરીને ચૂંટણી લડી રહી છે. ભાજપ 111 અને જનસેના 8 બેઠકો પર ચૂંટણી લડી રહી છે. કોંગ્રેસ પણ 118 સીટો પર ચૂંટણી લડી રહી છે. તેણે તેના સહયોગી સીપીઆઈને માત્ર એક સીટ આપી છે. અસદુદ્દીન ઓવૈસીની AIMIMએ 9 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે.





'ચૂંટણીની ફરજ માટે 2.5 લાખથી વધુ કર્મચારીઓ તૈનાત'

મુખ્ય ચૂંટણી અધિકારી વિકાસ રાજે જણાવ્યું છે કે વિધાનસભા ચૂંટણી માટે 2.5 લાખથી વધુ કર્મચારીઓને ફરજ પર મૂકવામાં આવ્યા છે. મતગણતરી 3 ડિસેમ્બરે થશે. તેલંગણામાં પ્રથમ વખત દિવ્યાંગ મતદારો અને 80 વર્ષથી વધુ ઉંમરના મતદારોને ઘરે બેઠા મતદાન કરવાની સુવિધા પૂરી પાડવામાં આવશે. ચૂંટણી પંચે આઈટી કંપનીઓ સહિત તમામ ખાનગી સંસ્થાઓને 30 નવેમ્બરની રજા જાહેર કરવાનો આદેશ આપ્યો છે જેથી કર્મચારીઓ તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકે.





બ્રેકગ્રાઉન્ડ

Telangana Election 2023: તેલંગણામાં ભારતીય જનતા પાર્ટી તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસના રાહુલ ગાંધી અને તેલંગણામાં સત્તાધારી પાર્ટી ભારત સમિતિ (BRS) ના વડા કે. ચંદ્રશેખર રાવ જેવા ટોચના નેતાઓ દ્વારા જોરશોરથી ચૂંટણી પ્રચાર કર્યા પછી ગુરુવારે (30 નવેમ્બર) 119 સભ્યોની રાજ્ય વિધાનસભાની ચૂંટણી માટે મતદાનની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. સમગ્ર રાજ્યમાં 35,655 મતદાન મથકો બનાવવામાં આવ્યા છે જ્યાં કુલ 3.26 કરોડ નોંધાયેલા મતદારો છે.


સત્તાવાર સૂત્રોએ બુધવારે (29 નવેમ્બર) જણાવ્યું હતું કે 30 નવેમ્બરના રોજ સવારે 7 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી 106 મતવિસ્તારોમાં અને 13 ડાબેરી ઉગ્રવાદ (LWE) પ્રભાવિત મતવિસ્તારોમાં સવારે 7 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી મતદાન થશે. આ ચૂંટણીમાં 2,290 ઉમેદવારો મેદાનમાં છે, જેમાં મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવ, તેમના મંત્રી-પુત્ર કે. ટી. રામારાવ, પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ એ. રેવંત રેડ્ડી અને ભાજપના લોકસભા સભ્ય બી. સંજય કુમાર અને ડી અરવિંદનો સમાવેશ થાય છે.


ભાજપ અને પવન કલ્યાણની પાર્ટી સાથે મળીને ચૂંટણી લડી રહ્યા છે


સત્તાધારી BRS એ તમામ 119 બેઠકો પર તેમના ઉમેદવારો ઉભા રાખ્યા છે જ્યારે ભાજપ 111 બેઠકો પર ચૂંટણી લડી રહ્યો છે. અભિનેતા પવન કલ્યાણની પાર્ટી જનસેના બાકીની 8 બેઠકો પર ચૂંટણી લડી રહી છે. કોંગ્રેસે તેના સહયોગી કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (CPI)ને એક સીટ આપી છે અને બાકીની 118 સીટો પર પોતે ચૂંટણી લડી રહી છે.


તેલંગણાની રચના બાદ BRS સત્તામાં છે.


BRS 2014માં શરૂ થયેલી તેની જીતનો સિલસિલો ચાલુ રાખવા આતુર છે, જ્યારે કોંગ્રેસ 2018 અને તેના ચાર વર્ષ પહેલાં હાર્યા બાદ સત્તા જાળવી રાખવા માટે સંઘર્ષ કરી રહી છે. કોંગ્રેસના નેતૃત્વ હેઠળની યુપીએ સરકાર દરમિયાન તેલંગણાને આંધ્ર પ્રદેશમાંથી અલગ કરીને રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો હતો. ભાજપ પણ દક્ષિણના આ રાજ્યમાં પહેલીવાર સત્તામાં આવવામાં કોઈ કસર છોડી રહ્યું નથી.


આ વખતે મુખ્યમંત્રી કેસીઆર બે બેઠકો પર ચૂંટણી લડી રહ્યા છે.


આ ચૂંટણીમાં મુખ્યમંત્રી કેસીઆર બે મતવિસ્તારો ગજવેલ અને કામારેડ્ડી પર પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. કામારેડ્ડી અને ગજવેલમાં રોમાંચક સ્પર્ધા જોવા મળી રહી છે. કોંગ્રેસે તેના પ્રદેશ અધ્યક્ષ રેવંત રેડ્ડીને કામારેડ્ડીમાં મુખ્યમંત્રીની સામે ચૂંટણી લડવા મેદાનમાં ઉતાર્યા છે જ્યારે ભાજપના ઉમેદવાર વેંકટ રમણ રેડ્ડીને પણ મજબૂત માનવામાં આવે છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.