6 Airbags In Car: દેશમાં રોડ અકસ્માતના કારણે થતાં મોત ઘટાડવા માટે સરકાર મોટો નિર્ણય લેવા જઈ રહી છે. સરકાર ટૂંક સમયમાં જ દરેક કારમાં ઓછામાં ઓછી 6 એરબેગ ફરજિયાત કરવાની છે. જે મામલે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું કે, સરકાર આ પ્રસ્તાવ પર વિચાર કરી રહી છે. તેને ટૂંક સમયમાં લાગૂ કરવામાં આવશે. તેને લઈને નોટિફિકેશન આવતા મહિનામાં જાહેર થઈ શકે છે. 


લોકસભામાં ભારતીય જનતા પાર્ટીના સાંસદ નિશિકાંત દુબેએ કારોમાં એરબેગને લઈને પ્રશ્ન પૂછ્યો હતો. તેમણે કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીને પૂછ્યું હતું કે, કારમાં કમ સે કમ 6 એરબેગ ક્યારથી ફરજિયાત થશે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ તેમના સવાલનો જવાબ આપતા કહ્યું કે, સરકાર આ પ્રસ્તાવ પર વિચાર કરી રહી છે. તેને ટૂંક સમયમાં લાગૂ કરવામાં આવશે.


નીતિન ગડકરીએ ગાડીમાં લાગતી એરબેગની કિંમત પણ સંસદમાં જણાવી હતી. ગડકરીએ માર્ચમાં સંસદમાં એમ પણ કહ્યું હતું કે 2020માં છ કાર્યાત્મક એરબેગની તૈનાતીથી 13,000 લોકોનો જીવ બચાવી શકાયો હોત. તેમણે કહ્યું કે જ્યારે ઓટોમોબાઇલ ઉધોગ વિકસે છે અને વાહનોની સંખ્યા વધે છે, ત્યારે સલામતીનું ધ્યાન રાખવું એ પણ આપણી જવાબદારી છે. ભારતમાં દુનિયાભરનાં માંડ 1 ટકા વાહનો છે, પરંતુ દેશમાં માર્ગ અકસ્માતમાં થતા મૃત્યુનું પ્રમાણ દુનિયાની સરખામણીએ 10 ટકા વધારે છે.


ભારતમાં કોરોનાનો દૈનિક પોઝિટિવિટી રેટ ચિંતાજનક


India Corona Cases Today: ભારતમાં ફરી એકવાર કોરોના કેસમાં ઘટાડો થયો છે.  સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમાં છેલ્લા 24 કલાકમાં 16,167 નવા કેસ નોંધાયા છે અને 41 સંક્રમિતોના મોત થયા છે. દેશમાં એક્ટિવ કેસનો આંકડો 1,35,510 થયો છે, જ્યારે કુલ મૃત્યુઆંક 5,26,730 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં 4,34,99,659 લોકો કોરોના મુક્ત થયા છે. દેશમાં કુલ 206,56,54,741 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી 32,73,551 ડોઝ ગઈકાલે અપાયા હતા. દૈનિક પોઝિટિવિટી રેટ 6.14 ટકા છે.


ઓગસ્ટ મહિનામાં નોંધાયેલા કેસ



  • 7 ઓગસ્ટે 18,738 નવા કેસ નોંધાયા અને 32 સંક્રમિતોના મોત થયા.

  • 6 ઓગસ્ટે 19406 નવા કેસ નોંધાયા અને 49 લોકોના મોત થયા.

  • 5 ઓગસ્ટે 20,551 નવા કેસ નોંધાયા અને 70 સંક્રમિતોના મોત થયા હતા.

  • 4 ઓગસ્ટે 19,889 નવા કેસ નોંધાયા અને 53 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો.

  • 3 ઓગસ્ટે 17,135 નવા કેસ નોંધાયા હતા અને 40 લોકોએ જીવ ગુમાવ્યા હતા.

  • 2 ઓગસ્ટે 13,734 નવા કેસ નોંધાયા અને 34 સંક્રમિતોએ જીવ ગુમાવ્યા હતા.

  • 1 ઓગસ્ટે 16,464 નવા કેસ નોંધાયા અને 39 સંક્રમિતોના મોત થયા હતા.


Car loan Information:

Calculate Car Loan EMI