Stone Pelting on Shatabdi Express: પથ્થરમારાનો અહેવાલ મળતા જ રેલવે અને સુરક્ષા દળોએ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. ટુંડલા રેલ્વે જંકશન પર ટ્રેનને તાત્કાલિક તપાસવામાં આવી હતી, જ્યાં GRP અને RPFના વરિષ્ઠ અધિકારીઓ હાજર હતા.

Continues below advertisement

લખનૌથી કાનપુર થઈને નવી દિલ્હી જઈ રહેલી ટ્રેન નંબર 12003 સ્વર્ણ શતાબ્દી એક્સપ્રેસ પર ગુરુવારે (11 જૂન) સાંજે ફિરોઝાબાદમાં પથરાવની એક ગંભીર ઘટના સામે આવી છે. આ પથરાવમાં ટ્રેનના એક્ઝિક્યુટિવ ક્લાસ (E-1) કોચનો એક આઉટર વિન્ડો ગ્લાસ (બહારનો કાચ) તૂટી (તિરાડ પડી) ગયો હતો. ઘટના બાદ રેલવે પ્રશાસન અને સુરક્ષા એજન્સીઓમાં એ સમયે દોડધામ મચી ગઈ, જ્યારે આ માહિતી સામે આવી કે આ ટ્રેનમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સરસંઘચાલક મોહન ભાગવત પણ મુસાફરી કરી રહ્યા હતા. રાહતની વાત એ છે કે આ ઘટનામાં કોઈ મુસાફર ઘાયલ થયો નથી અને સંઘ પ્રમુખ સંપૂર્ણપણે સુરક્ષિત છે.

Continues below advertisement

માહિતી અનુસાર, લખનૌથી નવી દિલ્હી જતી શતાબ્દી એક્સપ્રેસ તેના નિર્ધારિત સ્ટોપેજ લખનૌ, કાનપુર અને ઇટાવા પછી આગળ વધી રહી હતી. ત્યારે સાંજે ફિરોઝાબાદ શહેરની મધ્યમાં આવેલા થાણા દક્ષિણ અને રસૂલપુર વિસ્તારના સરહદી વિસ્તારમાં પેમેશ્વર ગેટ પાસે આ ઘટના બની હતી. જ્યારે પૂરપાટ ઝડપે દોડી રહેલી શતાબ્દી એક્સપ્રેસ અહીંથી પસાર થઈ રહી હતી, ત્યારે જ એક અજ્ઞાત વ્યક્તિએ ટ્રેન પર પથ્થર ફેંક્યો હતો, આ પથ્થર કોચ E-1 ના કાચ પર જઈને વાગ્યો હતો.

ટૂંડલા જંક્શન પર ટ્રેન 7 મિનિટ રોકાઈ રહી

પથરાવની સૂચના મળતા જ રેલવે અને સુરક્ષા દળો તરત જ એક્શનમાં આવી ગયા હતા. ટ્રેન જ્યારે ટૂંડલા રેલવે જંક્શન પર પહોંચી ત્યારે તરત જ તેની તપાસ કરવામાં આવી, જ્યાં સરકારી રેલવે પોલીસ (GRP) અને રેલવે સુરક્ષા દળ (RPF) ના ઉચ્ચ અધિકારીઓ પહેલાથી જ તૈનાત હતા. જો કે, ટૂંડલા જંક્શન પર શતાબ્દી એક્સપ્રેસનું નિયમિત સ્ટોપેજ  માત્ર 1 મિનિટનું જ છે, પરંતુ સુરક્ષા તપાસ અને સંપૂર્ણ ખાતરી કરવાના કારણે ગાડીને અહીં 7 મિનિટ સુધી રોકી રાખવામાં આવી હતી. સુરક્ષા મંજૂરી મળ્યા બાદ જ ટ્રેનને આગળ માટે રવાના કરવામાં આવી હતી, જે પછી તે પોતાના ગંતવ્ય સ્થાન (નવી દિલ્હી) પર સુરક્ષિત રીતે પહોંચી ગઈ હતી.

આ પણ વાંચો: 'મમતા બેનર્જી જો અભિષેકની સાથે તો હું...', કલ્યાણ બેનર્જીએ TMC પ્રમુખને આપી દીધું અલ્ટીમેટમ

તપાસમાં જોડાયા ઉચ્ચ અધિકારીઓ, 6 ટીમોની રચના

હાઈ-પ્રોફાઈલ મામલો હોવાના કારણે ઉત્તર પ્રદેશ પોલીસના વરિષ્ઠ અધિકારીઓ તરત જ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. અપર પોલીસ મહાનિદેશક (ADG) આગ્રા ઝોન એસ.કે. ભગત અને ડીઆઈજી (DIG) શૈલેન્દ્ર પાંડેએ તાત્કાલિક ફિરોઝાબાદ પહોંચીને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.

ADG એસ.કે. ભગતે જણાવ્યું કે, "લખનૌથી નવી દિલ્હી જઈ રહેલી શતાબ્દી એક્સપ્રેસ પર પથ્થર મારવાનો મામલો સામે આવ્યો છે. આ ઘટનામાં કોઈ પણ મુસાફરને ઈજા થઈ નથી, માત્ર એક કોચનો બહારનો કાચ તૂટ્યો છે. ટ્રેન સુરક્ષિત રીતે દિલ્હી પહોંચી ગઈ છે. ઘટના સમયે સંઘ પ્રમુખ મોહન ભાગવત પણ આ જ ટ્રેનમાં સવાર હતા. સુરક્ષા એજન્સીઓ અને સ્થાનિક પોલીસ સતત આ મામલે કામ કરી રહી છે. ટૂંક સમયમાં જ આ આખી ઘટનાનો પર્દાફાશ કરીને આરોપીની ધરપકડ કરવામાં આવશે."