કોરોનાની મહામારીએ દેશભરમાં હાહાકાર મચાવ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 2 લાખ 59 હજાર નવા કેસ નોંધાયા છે... તો છેલ્લા 24 કલાકમાં 1761 લોકોના મોત થયા છે. સૌથી મોટી ચિંતાની વાત એ છે કે, વેક્સિનેટ થઇ ગયેલા લોકો પણ કોરોના સંક્રમિત થઇ રહ્યાં છે. આ સ્થિતિમાં સવાલ થઇ રહ્યાં છે. કે વેક્સિન કેમ જરૂરી?


કોરોનાની મહામારીએ દેશભરમાં હાહાકાર મચાવ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 2 લાખ 59 હજાર નવા કેસ નોંધાયા છે... તો છેલ્લા 24 કલાકમાં 1761 લોકોના મોત થયા છે. સૌથી મોટી ચિંતાની વાત એ છે કે, વેક્સિનેટ થઇ ગયેલા લોકો પણ કોરોના સંક્રમિત થઇ રહ્યાં છે. નિષ્ણાતોએ વેક્સિન વિષે કહ્યું છે કે, વાયરસ સામે સંપૂર્ણ રીતે કોરોનાથી રક્ષણ નથી આપતું પરંતુ તેની ઘાતક અસરથી બચાવે છે.


એક બાજુ કોરોનાના કેસ લાખોની સંખ્યામાં સામે આ રહ્યાં છે તો બીજી બાજુ સરકાર દ્રારા વેક્સિનેશન પર ભાર મૂકાઇ રહ્યો છે. આ સ્થિતિમાં જ્યારે વેક્સિનના બંને ડોઝ લીધેલા લોકો પણ સંક્રમિત થઇ રહ્યાં છે ત્યારે એકસર્ટે વેક્સિન વિશેની લોકોની શંકા-કુશંકાને દૂર કરતા કહ્યું કે, વેક્સિન લોકોને સંપૂર્ણ વાયરસથી રક્ષણ નથી આપ શકતું પરંતુ મોટાભાગના કેસમાં જોવા મળી રહ્યું છે કે, વેક્સિનેટ વ્યક્તિમાં વાયરસનું સંક્રમણ જીવલેણ નથી બનતું. માત્ર માઇલ્ડ લક્ષણો જ જોવા મળે છે. આ કારણે વેક્સિનેટ વ્યક્તિના ઝડપથી રિકવર થવાના ચાન્સ પણ વધી જાય છે.  


વેક્સિનેટ સંક્રમિત થવા પાછળ નવો સ્ટ્રેન જવાબદાર ?


વેકિસન લીધા બાદ સંક્રમણ થવા પાછળ એકસ્પર્ટ કોરોના વાયરસના મ્યુટન્ટને પણ જવાબદાર ગણાવી રહ્યાં છે. એકસ્પર્ટના મત મુજબ કોરોના વાયરસના મ્યુટન્ટના કારણે વેક્સિનેટ લોકો પણ સંક્રમિત થઇ રહ્યાં છે. ભારતમાં હાલ માોટા પાયે વેક્સિનેશન ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં 12 કરોડ લોકોને વેક્સિન આપી ચૂકાઇ છે. 1 મેથી 18વર્ષથી મોટી વયના તમામ લોકો માટે વેકિનેશન શરૂ થશે. એકસપર્ટના મત મુજબ કોોરના વાયરસના સંક્રમણને વધુ ઘાતક થતું રોકવા માટે વેક્સિન લેવી જરૂરી છે.