Historical Events of 4th December: કેલેન્ડરની તારીખ '4 ડિસેમ્બર' પોતાનામાં કેટલીય ઐતિહાસિક ઘટનાઓ સમાવી ચૂકી છે. ભારતે આજના દિવસે 'સતી પ્રથા' જેવી ભયાનક કુરીતિમાંથી મુક્તિ મેળવી હતી, નવી પેઢી માટે એ જાણવુ જરૂરી છે કે, દેશમાં એક સમય એવો હતો જ્યારે પતિનુ મોત થઇ જાય ત્યારે પત્નીએ પણ તેની ચિતામાં જીવતુ સળગી જવુ પડતુ હતુ, અને દાહસંસ્કારની સાથે વિના કારણે તેને પોતાનો જીવ ગુમાવવો પડતો હતો. ખુબ સંઘર્ષ બાદ, 4થી ડિસેમ્બર, 1829એ સતી પ્રથા પર રોક લગાવી દેવામાં આવી હતી, આ ઉપરાંત આજના દિવસના ઇતિહાસમાં કેટલીય ઘટનાઓ નોંધાયેલી છે. જાણો શું છે 4થી ડિસેમ્બરનો ઇતિહાસ....... 


4 ડિસેમ્બરની ઐતિહાસિક ઘટનાઓ... 


1796 - બાજીરાવ દ્વિતીય પેશવા બનાવવામાં આવ્યા. 
1829 - વાયસરૉય લૉર્ડ વિલિયમ બેન્ટિકે સતી પ્રથાને સમાપ્ત કરવાનું એલાન કર્યુ.
1860 - ગોવામાં મરગાવના નિવાસી અગસ્ટિનો લૉરેન્સોએ પેરિસ વિશ્વવિદ્યાલયથી રસાયન વિજ્ઞાનમાં ડૉક્ટરેટની ઉપાધિ લીધી. તે વિદેશી વિશ્વવિદ્યાલયમાથી રસાયણ વિજ્ઞાનની ઉપાધિ લેનારા પહેલા ભારતીય હતા. 
1952 - ઇંગ્લેન્ડમાં સ્મૉગની ઘની પરત બિછાઇ જવાથી હાજારો લોકોના જીવ ગયા હતા.
1959 - ભારત અને નેપાલની વચ્ચે ગંડક સિંચાઇ અને વિદ્યુત પરિયોજના પર હસ્તાક્ષર કરવામાં આવ્યા.
1967 - દેશના પહેલા રૉકેટ ‘રોહિણી આરએચ 75’નુ થુમ્બાથી પ્રક્ષેપણ કરવામાં આવ્યુ. 
1977 - ઇજિપ્તના વિરુદ્ધ આરબ મોર્ચાનુ ગઠન કરવામાં આવ્યુ. 
1984 - હિઝબુલ્લા આંતકવાદીઓએ કુવૈત એરલાઇનના વિમાનનુ અપહરણ કરીને ચાર યાત્રીઓની હત્યા કરી દીધી.
1991 - લેબનાનમાં અંતિમ અમેરિકન બંધકને સાત વર્ષની કેદ બાદ મુક્ત કરી દેવામાં આવ્યો.
1996 - અમેરિકન અંતરિક્ષ એજન્સી નાસાએ મંગળ ગ્રહની જમીનના અધ્યયન માટે વધુ એક અંતરિક્ષ યાન 'માર્સ પાથફાઉન્ડર' પ્રક્ષેપિત કર્યુ. 
2006 - ફિલીપાઇન્સમાં ભીષણ વાવાઝોડા બાદ જમીન ફાટવાથી લગભગ એક હજાર લોકોના મોત થયા.
2008 - પ્રસિદ્ધ ઇતિહાસકાર અને પ્રાચીન ભારતીય ઇતિહાસના અધ્યયન કર્તા રોમિલા થાપરને ક્લૂજ સન્માન માટે પસંદ કરવામાં આવ્યા. 


બેંગલુરુમાં ટ્રાફિક હળવો કરવા સવારે 8:30 વાગ્યા પછી સ્કૂલ બસો પર પ્રતિબંધ મૂકવામાં આવશેઃ રિપોર્ટ


શહેરમાં ટ્રાફિકની સમસ્યાને હળવી કરવા માટે બેંગલુરુના ટ્રાફિક વિભાગે સવારે 8:30 વાગ્યા પછી ઑફિસ જતો ટ્રાફિક શરૂ થાય તે પહેલાં સ્કૂલ બસો ચલાવવા પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. હિન્દુસ્તાન ટાઈમ્સના જણાવ્યા અનુસાર નવા નિયુક્ત ટ્રાફિક કમિશનર આઈપીએસ એમ એ સલીમની આગેવાની હેઠળ આ પહેલ કરવામાં આવી છે. ધ ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, અધિકારીઓ બેંગલુરુમાં નવા નિયમનો અમલ કરશે અને વિદ્યાર્થીઓને છોડતી અને સવારે 8.15 વાગ્યા પછી શાળાની નજીક પાર્ક કરતી સ્કૂલ બસો પર દંડ ફટકારશે. 


ધ ઈન્ડિયન એક્સપ્રેસના જણાવ્યા અનુસાર, એક ટ્રાફિક પોલીસે જણાવ્યું હતું કે કોઈ પણ સ્કૂલ બસને સ્કૂલની નજીક રોકવાની મંજૂરી આપવામાં આવશે નહીં અને ઉલ્લંઘન કરનારાઓને સવારે 8.30 વાગ્યા પછી દંડ ચૂકવવો પડશે. તેમણે કહ્યું, "અમે પહેલાથી જ શાળા મેનેજમેન્ટને વર્ગો વહેલા શરૂ કરવા સૂચના આપી દીધી છે,"  બાળકો સુરક્ષિત રીતે શાળાએ જાય તેની ખાતરી કરવા માટે ટ્રાફિક પોલીસ વિભાગ  'dedicated carriageway' અને  'safe passage way' પણ લાગુ કરશે.