અગરતલાઃ ત્રિપુરા સરકારે મહત્વપૂર્ણ પગલું ભરતા રાજ્યમાં આજથી ત્રણ દિવસ માટે સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી હતી. આ લોકડાઉનની શરૂઆત આજે સવારે 5 વાગ્યાથી થઈ છે. જે 30 જુલાઈની સવારે પાંચ વાગે ખતમ થશે.


છેલ્લા થોડા દિવસોથી ત્રિપુરામાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધી રહી છે. પરિસ્થિતિ વધારે વણસે  નહીં તે માટે સરકારે ત્રણ દિવસના લોકડાઉનની જાહેરાત કરી છે. ત્રિપુરાના મુખ્યમંત્રી બિપ્લબવ દેવે લોકડાઉનની જાહેરાત કરીને લોકોને ઘરમાં રહેવાની અપીલ કરી હતી.

ત્રિપુરામાં કોરોના સંક્રમિતોની સંખ્યા 3862 પર પહોંચી છે. જ્યારે 11 લોકોના મોત થયા છે. 2209 લોકો સાજા થઈ ગયા છે અને 1642 એક્ટિવ કેસ છે.