ઉન્નાવના એસપી વિક્રાંત વીરે આ કેસમાં બેદરકાર રહેવાના આરોપ હેઠળ બિહાર સ્ટેશન ઈન્ચાર્જ અજય ત્રિપાઠી સહિત બે ઈન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરી દીધા છે. આ સિવાય 4 સિપાહીઓને પણ સસ્પેન્ડ કર્યા છે.
આ અગાઉ રવિવારે બપોરે પીડિતાના મૃતેદહને ગામમાં દફન કરવામાં આવ્યો હતો. શુક્રવારે રાત્રે પીડિતાનું દિલ્હીના સફદરગંજમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. ગુરૂવારે સવારે ગેંગરેપના આરોપીઓએ તેને જીવતી સળગાવવાના પ્રયાસ કર્યાં હતાં. આ આરોપીઓને અદાલતે કેટલાંક દિવસો પહેલા જામીન પર મુક્ત કર્યાં હતા. આ ઘટનાના મુદ્દે યોગી સરકાર પર વિપક્ષ સતત શાબ્દિક હુમલો કરી રહ્યા છે.