લખનઉઃ ઉત્તરપ્રદેશમાં કોરોના સંકટને ધ્યાનમાં રાખીને રાજ્યની યોગી સરકારે એક મોટો નિર્ણય લીધો છે, રાજ્યમાં કોરોનાથી સૌથી પ્રભાવિત હતા એવા 15 જિલ્લાના હૉટસ્પોટ વિસ્તારને સીલ કરી દીધા છે. ઉલ્લેખનીય છે કે, સૌથી મોટા રાજ્યમાં કોરોનાનુ સંકટ દિવસે દિવસે વધી રહ્યુ છે.


યુપી સરકારે રાજ્યાના 15 જિલ્લાના હૉટસ્પોટ એરિયાને 30 એપ્રિલ સુધી સીલ કરી દીધા છે. સરકારનો આ આદેશ આજે રાત્રે 12 વાગ્યાથી લાગુ થઇ જશે. આ રાજ્યોમાં સામાનોની હૉમ ડિલીવરી થશે.



યુપી સરકારે જે 15 જિલ્લામાં લખનઉ, આગરા, ગાઝિયાબાદ, ગૌતમબુદ્ધ નગર, કાનપુર, વારાણસી, શામલી, મેરઠ, બરેલી, બુંદલશહેર, ફિરોઝાબાદ, મહારાજગંજ, સીતાપુર અને સહારનપુર સામેલ છે.



આ જિલ્લાઓમાં સીલ દરમિયાન કોઇપણ દુકાનો નહીં ખુલે, માત્ર આવશ્યક વસ્તુઓની હૉમ ડિલીવરી થશે. આની સાથે માત્ર કરફર્યૂ પાસ વાળાઓને ઘરેથી બહાર નીકળવાની પરવાનગી આપવામાં આવશે. દરેકને માસ્ક પહેરવુ પણ ફરજિયાત બનાવી દેવામાં આવ્યુ છે.