અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ બનતાની સાથે જ ગેરકાયદેસર ઈમિગ્રન્ટ્સ સામેની કાર્યવાહી તેજ થઈ ગઈ છે. અમેરિકાએ ગેરકાયદેસર રીતે રહેતા 205 ઈમિગ્રન્ટ્સને ભારતમાં ડિપોર્ટ કર્યા છે. અમેરિકાથી ડીપોર્ટેશનની પ્રથમ ફ્લાઇટ આવતીકાલે અમૃતસર પહોંચશે.  યુએસ એરફોર્સના સી-17 એરક્રાફ્ટમાં આ લોકોને ભારત મોકલવામાં આવી રહ્યા છે. તે પહેલાથી જ અમેરિકામાં ડિટેંશનમાં હતા.

બીજી તરફ અમેરિકાથી ગેરકાયદેસર ઈમિગ્રન્ટ્સને ભારતમાં મોકલવાના સમાચાર પર અમેરિકી દૂતાવાસે કહ્યું કે અમેરિકા ઈમિગ્રેશન કાયદાને કડક બનાવી રહ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યાના બે સપ્તાહ બાદ ગેરકાયદેસર ભારતીય નાગરિકોના દેશનિકાલનો પ્રથમ રાઉન્ડ શરૂ થયો છે. ટ્રમ્પે અમેરિકામાં રહેતા ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ સાથે વ્યવહાર કરવા માટે કઠિન નીતિ અપનાવવાનું વચન આપ્યું છે અને તે આને લગતા અનેક આદેશો પર હસ્તાક્ષર કરી ચૂક્યા છે.

'અમેરિકા ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને બહાર કરી રહ્યું છે'

જો કે અમેરિકાથી ફ્લાઇટના પ્રસ્થાન વિશે પૂછવામાં આવતા અમેરિકી દૂતાવાસના પ્રવક્તાએ વધુ માહિતી આપી ન હતી. જોકે, તેમણે કહ્યું હતું કે, "અમેરિકા ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને બહાર કરી  રહ્યું છે." "હું તે તપાસ વિશે કોઈ વિગતો શેર કરી શકતો નથી, પરંતુ હું રેકોર્ડ પર શેર કરી શકું છું કે યુનાઇટેડ સ્ટેટ્સ તેની સરહદને સુરક્ષિત કરવા કડક છે,  ઇમિગ્રેશન કાયદાને કડક  કરી રહ્યું છે અને ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને બહાર કરવામાં આવી રહ્યા છે."

તેમણે કહ્યું, આ કાર્યવાહી સ્પષ્ટ સંદેશ છે કે ગેરકાયદેસર પ્રવાસ જોખમથી ભરપૂર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે 27 જાન્યુઆરીએ  ફોન પર વાતચીત કર્યા બાદ ટ્રમ્પે કહ્યું હતું કે ભારત અમેરિકાથી ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને પરત મોકલવામાં  જે યોગ્ય હશે  તે કરશે.

ગેરકાયદેસર ઇમિગ્રેશનનો વિરોધ કરીએ છીએ- ભારત

ગયા મહિને, વિદેશ મંત્રાલય (MEA) એ કહ્યું હતું કે તે ગેરકાયદેસર ઇમિગ્રેશનનો વિરોધ કરે છે અને યુએસમાં ગેરકાયદેસર રીતે રહેતા ભારતીયોને પરત લેવા માટે તૈયાર છે, તેમની રાષ્ટ્રીયતાની ચકાસણી કરવામાં આવે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે 24 જાન્યુઆરીએ કહ્યું હતું કે ભારત ગેરકાયદેસર ઇમિગ્રેશનનો વિરોધ કરે છે કારણ કે તે સંગઠિત અપરાધના ઘણા સ્વરૂપો સાથે જોડાયેલ છે. "અમે તેમને પાછા લઈ જઈશું જો દસ્તાવેજો અમારી સાથે શેર કરવામાં આવ્યા હોય જેથી અમે તેમની રાષ્ટ્રીયતા ચકાસી શકીએ અને તેઓ ખરેખર ભારતીય છે કે કેમ તે ચકાસી શકીએ,"