હલ્દ્રાની:અરવિંદ કેજરીવાલએ ઉત્તરાખંડની ચૂંટણી પહેલા એક લોભામણી મહત્વની જાહેરાત કરી છે. કેજરીવાલે બેરોજગાર યુવાનોને રોજગાર આપવાની જાહેરાત કરી છે.


દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે ઉત્તરાખંડના હલ્દાની પહોંચ્યાં હતા. અહી ઉત્તરાખંડની ચૂંટણીને પૂર્વે તેમણે એક મહત્વની જાહેરાત કરી હતી. અરવિંદ કેજરીવાલે ઉત્તરાખંડના બધા જ બેરોજગાર યુવકોને રોજગારી આપવાનો વાયદો કર્યો છે. આટલું જ નહીં જ્યાં સુધી બેરોજગારને યુવકને જ્યાં સુધી નોકરી ન મળે ત્યાં સુથી બેરોજગારી  ભથ્થા તરીકે દર મહિને 5 હજાર રૂપિયા આપવાનો પણ વાયદો કર્યો હતો.


આગામી ઉત્તરાખંડની વિધાનસભાની ચૂંટણી જીતવા માટે આમ આદમી પાર્ટી એડી ચોટીનું જોર લગાવી રહી છે. તેમને હલ્દ્વાનીમાં કેટલીક મોટી જાહેરાત કરી હતી. કેજરીવાલે જણાવ્યું હતું કે, તેમની સરકાર બની તો 6 મહિનામાં 1 લાખ સરકારી નોકરી આપવામાં આવશે. ઉપરાંત નોકરીમાં ઉત્તરાખંડના લોકોને 80ટકા અનામત આપવાનું પણ એલાન કર્યું છે.


CM કેજરીવાલે ઉત્તરાખંડ માટે શું કરી મોટી જાહેરાત



  • ‘આપ’ની સરકાર બન્યા બાદ 6 મહિનામાં 1 લાખ બેરોજગારનો અપાશે નોકરી

  • જ્યાં સુધી નોકરી ન મળે ત્યાં સુધી દર મહિને 5 હજાર બેરોજગારી ભત્થુ મળશે,

  • સરકારી અને પ્રાઇવેટ નોકરી માટે ઉત્તરાખંડના લોકો માટે 80 ટકા સીટ અનામત રાખશે

  • ઉત્તરાખંડના યુવાનો માટે પ્રદેશમાં જોબ પોર્ટલ લોન્ચ થશે

  • રોજગાર અને પલાયન મુદ્દે નવું મંત્રાલય બનાવાશે.  


CM ભૂપેન્દ્ર પટેલની PM મોદી સાથે મુલાકાત
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતી કાલે દિલ્લીના પ્રવાસે જનાર છે. આનંદી પટેલ સાથે શુભેચ્છા મુલાકાત બાદ તેઓ આવતી કાલે દિલ્લી જશે અને કેટલાક મહત્વના મુદ્દે ચર્ચા થશે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પહેલા PM  મોદી સાથે મુલાકાતનો સમય માંગ્યો હતો અને સોમવારનો સમય મુલાકાત માટે નિશ્ચિત થયો છે. મુલકાત દરિયાન ગુજરાતના વિકાસ મોડલ અને આગામી યોજના સહિતના મુદ્દે ચર્ચા થઇ શકે છે.