Education Loan Information:
Calculate Education Loan EMIદેશના આ જાણીતા રાજ્યમાં 15 ડિસેમ્બરથી શરૂ થશે કોલેજો, SOP થઈ જાહેર, જાણો નિયમો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 12 Dec 2020 11:21 AM (IST)
સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા નિયમો મુજબ,6 ફૂટના અંતરે બેસવાનો પ્રબંધ કોલેજ મેનેજમેન્ટે કરવો પડશે.
દેહરાદૂનઃ ઉત્તરાખંડ સરકારે યૂનિવર્સિટી અને કોલેજો ફરીથી ખોલવા માટે એસઓપી જાહેર કરી છે. નિયમો અને શરતોને આધીન યૂનિવર્સિટી અને કોલેજ ઓફલાઇન ક્લાસ સંચાલિત કરી શકશે. વિવિધ શિફ્ટમાં વિદ્યાર્થીઓને અગ્રતાક્રમ મુજબ કોલેજ બોલાવી શકાશે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા નિયમો મુજબ,6 ફૂટના અંતરે બેસવાનો પ્રબંધ કોલેજ મેનેજમેન્ટે કરવો પડશે. આ ઉપરાંત બહારથી આવતાં વિદ્યાર્થીઓ માટે આરટીપીસીઆર ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટ સાથે લાવવો પડશે. બધા સ્ટુડન્ટ્સ માટે પેરેન્ટ્સનો પરમિશન લેટર જરૂરી છે. જેમની પાસે આ લેટર હશે તેમને જ કોલેજમાં આવવા દેવામાં આવશે. સમયાંતરે કોલેજમાં સેનિટાઇઝેશનની વ્યવસ્થા કરવી પડશે. આ ઉપરાંત વર્ગ શરૂ થવા પહેલા અને પૂરા થયા પછી સેનિટાઇઝ કરવા પડશે. માસ્ક વગર કોઇને પણ કોલેજમાં પ્રવેશવા નહીં દેવામાં આવે. આ ઉપરાંત જો કોઇ ટીચર, વિદ્યાર્થી કે સ્ટાફને શરદી-ઉધરસની ફરિયાદ હશે તો પ્રાથમિક ઉપચાર આપ્યા બાદ ઘરે મોકલી દેવાશે. સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઇટ મુજબ, ઉત્તરાખંડમાં કોરોનાના એક્ટિવ કેસ 5934 છે, જ્યારે 73,936 લોકો કોરોનાને હરાવી ચુક્યા છે. રાજ્યમાં 1341 લોકોના કોરોનાથી મોત થયા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 30,006 નવા સંક્રમિત દર્દી નોંધાયા છે. જ્યારે 442 લોકોના કોરોનાથી મોત થયા છે. ભારતમાં કોરોનાના કુલ કેસ વધીને 98 લાખ 26 હજાર થયા છે. તેમાંથી અત્યાર સુધીમાં એક લાખ 42 હજાર 628 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. કુલ એક્ટિવ કેસ ઘટીને ત્રણ લાખ 60 હજાર થયા છે. અત્યાર સુધીમાં કુલ 93 લાખ 24 હજાર લોકોએ કોરોનાને મ્હાત આપી છે.