Amazing Viral Video: બજારમાંદુકાનદારો ઘણીવાર વિવિધ યુક્તિઓ અને માર્કેટિંગ વિચારોને લાગુ કરીને લોકોનું ધ્યાન આકર્ષિત કરતા જોવા મળે છે. તે જ સમયે દુકાન પર સામાન લેતા પહેલાગ્રાહકો તેની સંપૂર્ણ તપાસ પણ કરે છે. આવી સ્થિતિમાં દુકાનદારો તેમના ઉત્પાદનોના વખાણ કરતા અને તેમના ફાયદાની ગણતરી કરતા જોવા મળે છે. આવી સ્થિતિમાં ઘણી વખત યુઝર્સ ટકાઉ અને ભરોસાપાત્ર પ્રોડક્ટ ખરીદવામાં સમય લેતા નથી.






હાલના દિવસોમાં આવો જ એક વિસ્ફોટક માર્કેટિંગ વીડિયો સોશિયલ મીડિયા પર બધાનું ધ્યાન ખેંચી રહ્યો છે. જેમાં એક વ્યક્તિ પ્લાસ્ટિકની ખુરશીની મજબૂતાઈ બતાવતી જોઈ શકાય છે. હાલ આ વીડિયો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થઈ ગયો છે. તેનું મુખ્ય કારણ ખુરશીની મજબૂતાઈ બતાવવાની રીત છે. જેને જોઈને યુઝર્સ પણ દંગ રહી ગયા છે.


ખુરશી ઉપર પસાર થયું વાહન


સામાન્ય રીતે શેરી વિક્રેતાઓ તેમના માલનું વેચાણ કરતી વખતે લોકોનો વિશ્વાસ જીતવા માટે તેમના ઉત્પાદનોના ફાયદાઓ વિચિત્ર રીતે જણાવતા જોવા મળે છે. જેમાં ઘણી વખત કેટલાક લોકો પ્લાસ્ટિકની વસ્તુઓની તાકાત બતાવતા જોવા મળે છે. આવા જ એક વીડિયોમાં એક વ્યક્તિ પ્લાસ્ટિકની ખુરશી પરથી વાહન પસાર કરતો જોવા મળે છે. જે વાહન હેઠળ વ્યક્તિના હાથ કે પગ તૂટી શકે છે. ખુરશી તેની નીચે આવ્યા પછી તરત જ ફરી એ જ આકારમાં પાછી આવી જાય છે.


વીડિયોને 10 મિલિયન વ્યૂઝ મળ્યા છે


આવી સ્થિતિમાં ખુરશીની મજબૂતાઈ જોઈને દરેક દંગ રહી જાય છે. દરેક વ્યક્તિ તે દુકાનદારની માર્કેટિંગ શૈલી પસંદ કરી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરીને લખ્યું કે, 'ભારત છે ભાઈઅહીં આવું જ થાય છે.બીજાએ લખ્યું, 'હવે આનાથી વધુ મજબૂતાઈ શું જોઈએ.ત્રીજાએ લખ્યું, 'બસ ભગવાન આટલા મજબૂત બનાવી દો.


Corona Cases: કોરોનાના કેસમાં સતત વધારો, સતત ચોથા દિવસે આવ્યા 10 હજાર કેસ, 24 કલાકમાં જ 23નાં મોત


India Coronavirus Case Update: કોરોનાના વધતા કેસોથી સમગ્ર દેશમાં ફરી ડરનો માહોલ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના 10 હજાર 093 નવા કેસ નોંધાયા છે. આ આંકડાઓ બાદ હવે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 57 હજાર 542 થઈ ગઈ છેદેશમાં છેલ્લા 24 કલાકમાં, 6,248 દર્દીઓ કોરોનાથી સ્વસ્થ થયા છે, જેના કારણે ડિસ્ચાર્જની કુલ સંખ્યા વધીને 4,42,29,459 થઈ ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દર્દીઓના સ્વસ્થ થવાનો દર હાલમાં 98.68 ટકા છે. દેશમાં ભૂતકાળમાં કેસોની સંખ્યા 10 હજારથી વધુ રહી છે. શનિવારે 10,753 કેસ નોંધાયા હતા જ્યારે શુક્રવારે આ આંકડો 11,109 પર પહોંચી ગયો હતો. તેના એક દિવસ પહેલા ગુરુવારે 10,158 કેસ નોંધાયા હતા.


Atiq Ahmed Dead: અતીક અહમદ અને અશરફના હત્યાકાંડની થશે ન્યાયિક તપાસ, CM યોગીએ કરી જાહેરાત


ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં અતિક અહમદ અને અશરફ અહમદની હત્યા બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મહત્વની જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ આ મામલે ન્યાયિક પંચની જાહેરાત કરી છે. એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પ્રયાગરાજની ઘટનાનું સંજ્ઞાન લીધું છે. મુખ્યમંત્રીએ તાત્કાલિક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી અને સમગ્ર મામલાની તપાસના આદેશ આપ્યા હતા. મુખ્યમંત્રીએ ત્રણ સભ્યોના જ્યુડિશિયલ કમિશન (ન્યાયિક તપાસ પંચ)ની બનાવવા માટે પણ સૂચનાઓ આપી હતી. ત્રણેય હુમલાખોરોને ઘટનાસ્થળ પરથી ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.