Bollywood Director Taunt : પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાએ સગાઈ કરી લીધી. પ્રિયંકા ચોપરા, મનીષ મલ્હોત્રા અને અરવિંદ કેજરીવાલ તેમન પરિવારના સભ્યો અને નજીકના મિત્રોની હાજરીમાં આ કપલે ગઈ કાલે દિલ્હીમાં સગાઈ કરી હતી. હવે આને એક દુર્લભ સંયોગ કહો કે કંઈ બીજુ પણ ફિલ્મ ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ બરાબર આ ટાંણે જ 'લગ્ન' પર ટ્વિટ કર્યું છે. નેટીઝન્સે તેને કટાક્ષ ગણાવ્યું છે અને ત્યાર બાદ તેમને ભારે ટ્રોલ કરવામાં આવ્યા હતાં.


દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ, આલિયા ભટ્ટ અને રણબીર કપૂર જેવા સેલેબ કપલ્સે પ્રાઈવેટ વેડિંગના ચલણને વેગ આપ્યો છે. આપણે કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા જેવા યુગલોને ભવ્યાતિભવ્ય ભારતીય પરંપરા અનુંસાર લગ્ન કરતા જોયા છે. જેમાં કરણ જોહર, મનીષ મલ્હોત્રા, જુહી ચાવલા અને શાહિદ કપૂર સહિત તેના નજીકના મિત્રોએ હાજરી આપી હતી. પરંતુ 'ધ કાશ્મીર ફાઇલ્સ'ના ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીને લાગે છે કે વર્તમાનમાં લગ્નો ફોટોગ્રાફી માટે વધુ છે. વિવેક અગ્નિહોત્રીના આ ટ્વિટને લોકો પરિણીતી-રાઘવ સહિત અનેક બોલિવૂડ સેલેબ્સને ટોણા મારી રહ્યા હોવાનું માનવા લાગ્યા છે. જ્યારે કેટલાક લોકોએ વિવેક અગ્નિહોત્રીની વાતનું સમર્થન પણ કર્યું હતું.


વિવેક અગ્નિહોત્રીએ  કર્યો પરિણિતી-રાઘવના લગ્ન પર કટાક્ષ?


વિવેક અગ્નિહોત્રીએ ગઈકાલે રાત્રે ટ્વિટ કર્યું હતું કે, લોકો ફક્ત લગ્નની તસવીરો, વીડિયો અને દેખાવ માટે અને 'ડેસ્ટિનેશન વેડિંગ'નું ટેગ મેળવવા માટે લગ્ન કરી રહ્યા છે. એક વેડિંગ પ્લાનરે મને કહ્યું. એ સાચું છે કે હું ડેસ્ટિનેશન વેડિંગમાં હતો જ્યાં કોઈએ કહ્યું કે, વેડિંગ ફોટોગ્રાફરને મોડું થઈ રહ્યું હતું. આ સાંભળતા જ કન્યા બેભાન થઈ ગઈ. નેટીઝન્સને ખાતરી છે કે, વિવેક અગ્નિહોત્રીએ કદાચ પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા પર કટાક્ષ કર્યો હતો, જેમણે ગઈકાલે દિલ્હીમાં તેમની ભવ્ય સગાઈની પાર્ટી આપી હતી.


લોકોએ ટેકો આપ્યો


એક યુઝરે ટિપ્પણી કરી હતી કે, હું આ વાતને લઈને સંપૂર્ણ રીતે સંમત છું. તે વિરાટ અનુષ્કાના લગ્ન બાદથી જ શરૂ થયું હતું, પરંતુ તેમના લગ્ન આટલા કુદરતી, અધિકૃત અને સંસ્કારી લગ્ન હતા, કોઈ દેખાડો નહોતો. પરંતુ હવે તેઓ માત્ર સોશિયલ મીડિયા માટે નકલી ક્ષણો કેપ્ચર કરવા માંગે છે. હવે સામાન્ય લોકો પણ આ બાબતનું અનુંકરણ કરવા લાગ્યા છે જે વધારે ખરાબ છે. જ્યારે અન્ય એકે કહ્યું હતું કે, મધ્યમ વર્ગ પાસે અચાનક પૈસા આવી ગયા છે. હવે તેઓ સમજદારીપૂર્વક તેનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ તે જાણતા નથી. આમાના કેટલાક યુગલો તો થોડા જ વર્ષોમાં છૂટાછેડા પણ લઈ લે છે.