Ram Mandir Dhwajarohan 2025 Abhijit Muhurat: આજે, 25 નવેમ્બર, 2025 ના રોજ વિવાહ પંચમીના દિવસે અયોધ્યાના રામ મંદિરમાં પીએમ મોદીએ  ધર્મ ધ્વજ ફરકાવ્યો. આ શુભ વિધિ અભિજિત મુહૂર્ત  દરમિયાન સંપન્ન કરવામા આવી હતી.  આ ભવ્ય સમારોહ માટે રામ મંદિર તેમજ સમગ્ર અયોધ્યા શહેરને ભવ્ય રીતે શણગારવામાં આવ્યું છે.

Continues below advertisement

અયોધ્યાના રામ મંદિરમાં ફરકાવેલો આ ધ્વજ મંદિરના નિર્માણની સંપૂર્ણ પૂર્ણાહૂતિને સૂચિત કરે છે.  આ ધર્મ ધ્વજને રામરાજ્યના આદર્શોનું પ્રતીક માનવામાં આવે છે. પૂજારીઓએ મંદિરમાં ધર્મ ધ્વજ સ્થાપિત કરવા માટે અભિજિત મુહૂર્ત (શુભ સમયનો સમય) નક્કી  કર્યું  હતું. તો  ચાલો જાણીએ કે આજે રામ મંદિરમાં ધર્મ ધ્વજ સ્થાપિત કરવા માટે અભિજિત મુહૂર્ત  જે કે પસંદ કરવામાં આવ્યું છે.                                                                                  

અભિજીત મૂહૂર્ત શું છેકોઈપણ શુભ   કાર્ય કરવા માટે અભિજીત મુહૂર્ત ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ મુહૂર્ત દરમિયાન કરવામાં આવેલ કાર્ય સફળ  રહે છે, અને તેમાં કોઈ ખામી નથી. જો તમને કોઈપણ શુભ  કાર્ય માટે યોગ્ય શુભ મૂહૂર્ત ન  મળે, તો તમે અભિજીત મુહૂર્ત દરમિયાન બધા કાર્યો કરી શકો છો. પંચાંગ મુજબ, સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી 15 મુહૂર્ત હોય છે, જેમાંથી અભિજીત મુહૂર્ત એક છે. બુધવાર સિવાય, અઠવાડિયાના બધા છ દિવસોમાં અભિજીત મુહૂર્ત ઉપલબ્ધ છે.

Continues below advertisement

આજે, અયોધ્યા રામ મંદિરમાં ધર્મ ધ્વજ ફરકાવવાનો શુભ સમય અભિજિત મુહૂર્ત દરમિયાન સવારે 11:45 થી બપોરે 12:29 વાગ્યા સુધીનો હતો.  આ શુભ સમય દરમિયાન મંદિરના શિખર  પર ધર્મ ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો એવું માનવામાં આવે છે કે, ભગવાન શ્રી રામનો જન્મ અભિજિત મુહૂર્ત દરમિયાન થયો હતો. તેથી, પુજારીઓએ ધર્મ ધ્વજ ફરકાવવા માટે આ સમયને શુભ માન્યો છે. વધુમાં, આજે, 25 નવેમ્બર, ફક્ત અભિજિત મુહૂર્ત જ નહીં પરંતુ રામ અને સીતાના લગ્નનો દિવસ એટલે કે વિવાહ પંચમી પણ છે. તેથી, ધાર્મિક દ્રષ્ટિકોણથી, આ દિવસ વધુ શુભ બને છે.