વિશ્વ પૃથ્વી દિવસ પર PM મોદીએ ધરતી માનો આભાર માન્યો, કહ્યું- કોરોના સામે લડનારા યોદ્ધાઓનો કરીએ જય-જયકાર
એબીપી અસ્મિતા વેબ ટીમ | 22 Apr 2020 10:27 AM (IST)
કોરોના વાયરસનું સંકટ દેશમાં સતત વધી રહ્યું છે. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 19,984 પર પહોંચી છે.
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વ પૃથ્વી દિવસ પર ધરતી માંનો આભાર વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વિટ કરીને લખ્યું, ધરતી માના આંતરરાષ્ટ્રીય દિવસ પર તેમના દ્વારા આપણા બધાની દેખભાળ અને અપાર કરુણા માટે તેમના ગ્રહનો આભાર વ્યક્ત કરીએ છીએ. આવો આપણે એક સ્વસ્છ, સ્વસ્થ અને વધારે સમૃદ્ધ ગ્રહની દિશામાં કામ કરવાનો સંકલ્પ લઈએ. કોરોના જેવી વૈશ્વિક મહામારીને હરાવવા માટે કામ કરી રહેલા યોદ્ધાઓનો જય-જયકાર કરીએ અર્થાત તેમને સમર્થન આપીએ અને તેમની પ્રશંસા કરીએ. કોરોના વાયરસનું સંકટ દેશમાં સતત વધી રહ્યું છે. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 19,984 પર પહોંચી છે. જેમાંથી 640 લોકોના મોત થયા છે, જ્યારે 3869 લોકો સાજા થઈ ગયા છે. હાલ 15,474 એક્ટિવ કેસ છે.